અકસ્માતમાં મૃત્યુ પામનારના પાર્થિવ દેહ ભાવનગરના દિહોર ગામે પહોંચશે, ઇજાગ્રસ્તોને બસમાં લવાઇ રહ્યા છે વતન, જુઓ Video

અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકોના પાર્થિવ દેહ આજે ભાવનગરના દિહોર ગામે પહોંચશે. ગઈકાલે રાજસ્થાનના ભરતપુરમાં સર્જાયેલા અકસ્માતમાં (Accident) મૃત્યું પામનાર 12 લોકોના મૃતદેહ 6 એમ્બ્યુલન્સ મારફતે વતન દિહોર લઈ જવામાં આવી રહ્યા છે અને ઈજા નથી થઈ તેવા 33 લોકોને બે બસોમાં વતન પહોંચાડવામાં આવી રહ્યા છે. તમામ એમ્બ્યુલન્સ ગુજરાતમાં પ્રવેશી ચૂકી છે. બપોર સુધીમાં એમ્બ્યુલન્સ ભાવનગરના દિહોર ગામે પહોંચી જશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2023 | 9:48 AM

Bhavnagar : અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકોના પાર્થિવ દેહ આજે ભાવનગરના દિહોર ગામે પહોંચશે. ગઈકાલે રાજસ્થાનના ભરતપુરમાં સર્જાયેલા અકસ્માતમાં (Accident) મૃત્યું પામનાર 12 લોકોના મૃતદેહ 6 એમ્બ્યુલન્સ મારફતે વતન દિહોર લઈ જવામાં આવી રહ્યા છે અને ઈજા નથી થઈ તેવા 33 લોકોને બે બસોમાં વતન પહોંચાડવામાં આવી રહ્યા છે. તમામ એમ્બ્યુલન્સ ગુજરાતમાં પ્રવેશી ચૂકી છે. બપોર સુધીમાં એમ્બ્યુલન્સ ભાવનગરના દિહોર ગામે પહોંચી જશે.

આ પણ વાંચો-Mandi : વિસનગરની APMCમાં જુવારના મહત્તમ ભાવ રૂપિયા 6740 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

મહત્વનું છે કે રાજસ્થાનના ભરતપુરમાં ગુજરાતીઓ સાથે ગઈ કાલે તથ્યવાળી થઈ હતી. મુસાફરોને એક ભૂલની સજા મોત સ્વરૂપે મળી. બંધ પડેલી બસ જોવા ઉતરેલા મુસાફરો પર પૂરપાટ ઝડપે આવતી ટ્રક ફરી વળી અને ઘટનાસ્થળે જ 12 મુસાફરોના મોત થઈ ગયા. ભાવનગરથી મથુરા જઇ રહેલી ગુજરાતની બસને રાજસ્થાનમાં અકસ્માત નડ્યો. વહેલી પરોઢે આગ્રા-જયપુર નેશનલ હાઈવે-21 પર ભાવનગરની કાર્તિક ટ્રાવેલ્સની બસને ટ્રકે ટક્કર મારી. ટક્કર એટલી જોરદાર હતી કે ઘટનાસ્થળે જ 12 લોકોના મોત નિપજ્યા, જ્યારે 11 લોકો ઇજાગ્રસ્ત થયા.

તમામ મૃતકો ભાવનગરના તળાજાના દિહોરના વતની હતા. ઘટનાની જાણ થયા બાદ ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ દ્વારા શોકસંદેશ વ્યક્ત કર્યો. ગુજરાત સરકારે મૃતકોને 4-4 લાખની સહાયની જાહેરાત કરી છે. તો ઘાયલોને 50-50 હજારની સહાયની જાહેરાત કરી, તો વડાપ્રધાન મોદીએ રાજસ્થાન અકસ્માત મુદ્દે વ્યક્ત દુઃખ વ્યક્ત કર્યું અને અકસ્માતના મૃતકો માટે 2-2 લાખની સહાયની જાહેરાત કરી. જ્યારે ઇજાગ્રસ્તોને કેન્દ્ર સરકાર રૂ.50-50 હજારની સહાય આપશે.

 ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Follow Us:
રાજ્યના અનેક રસ્તાઓ ચોમાસા બાદ બન્યા બિસ્માર, ભ્રષ્ટાચારની ખૂલી પોલ
રાજ્યના અનેક રસ્તાઓ ચોમાસા બાદ બન્યા બિસ્માર, ભ્રષ્ટાચારની ખૂલી પોલ
અમિત શાહે 1,651 કરોડના પ્રજાલક્ષી વિકાસકામોનું કર્યુ લોકાર્પણ
અમિત શાહે 1,651 કરોડના પ્રજાલક્ષી વિકાસકામોનું કર્યુ લોકાર્પણ
કાળીગામ અંડરબ્રિજમાં જામ્યા ગંદકીના થર, સ્વચ્છતા પખવાડિયાનો ફિયાસ્કો
કાળીગામ અંડરબ્રિજમાં જામ્યા ગંદકીના થર, સ્વચ્છતા પખવાડિયાનો ફિયાસ્કો
અમદાવાદીઓને હવે ડિસ્કો રોડમાંથી મળશે મુક્તિ, 1લી ઓક્ટો.થી સમારકામ શરૂ
અમદાવાદીઓને હવે ડિસ્કો રોડમાંથી મળશે મુક્તિ, 1લી ઓક્ટો.થી સમારકામ શરૂ
સ્નાતકોને મોબાઈલ ક્ષેત્રમાં મળશે મહિને 2,50,000થી વધુ પગાર
સ્નાતકોને મોબાઈલ ક્ષેત્રમાં મળશે મહિને 2,50,000થી વધુ પગાર
સ્નાતકોને મેડીકલ ક્ષેત્રમાં મળશે મહિને 50,000થી વધુ પગાર
સ્નાતકોને મેડીકલ ક્ષેત્રમાં મળશે મહિને 50,000થી વધુ પગાર
વાપીમાં યુવકે કારના બોનેટ પર બેસીને કરી જોખમી સવારી, વીડિયો વાયરલ
વાપીમાં યુવકે કારના બોનેટ પર બેસીને કરી જોખમી સવારી, વીડિયો વાયરલ
સ્નાતકોને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં મળશે મહિને 25,000થી વધુ પગાર
સ્નાતકોને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં મળશે મહિને 25,000થી વધુ પગાર
હાર્ટએટેક યુવાનોનો લઈ રહ્યો છે જીવ, જાણીતા ડો તેજસ પટેલ શુ કહે છે?
હાર્ટએટેક યુવાનોનો લઈ રહ્યો છે જીવ, જાણીતા ડો તેજસ પટેલ શુ કહે છે?
પિત્ઝા માંથી જીવાત નીકળવાનો મામલો, ગ્રાહકે કરી ફરિયાદ, જુઓ Video
પિત્ઝા માંથી જીવાત નીકળવાનો મામલો, ગ્રાહકે કરી ફરિયાદ, જુઓ Video