મોરબી : મણિમંદિર પાસે આવેલ દરગાહનું ડિમોલિશન, વિરોધ છતાં વહીવટી તંત્રે કામગીરી પૂર્ણ કરી, જુઓ Video
મોરબીમાં મણિમંદિર નજીક આવેલ વિવાદિત દરગાહનું ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે પૂર્ણ કરવામાં આવ્યું.
મોરબીમાં મણિમંદિર નજીક આવેલ વિવાદિત દરગાહના ગેરકાયદેસર દબાણને હટાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ભારે વિરોધ અને સંવેદનશીલતા વચ્ચે વહીવટી તંત્ર દ્વારા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે આ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
દબાણ દૂર કરવાની કામગીરી શરૂ થઈ ત્યારે કેટલાક સ્થાનિક લોકોએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો, જેના પગલે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીના ભાગરૂપે મોરબીનો બેઠો પૂલ પણ થોડા સમય માટે બંધ કરવામાં આવ્યો હતો.
જોકે, પોલીસના સક્રિય પગલાં અને કડક હાજરીને કારણે હાલ સમગ્ર વિસ્તારમાં શાંતિનો માહોલ છે અને સ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં છે. પોલીસે સ્થાનિક નાગરિકોને કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવું, હાલ સમગ્ર વિસ્તારમાં શાંતિ છે અને પોલીસે લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે..