કથાકાર મોરારીબાપુએ એસ ટી બસમાં કરી મુસાફરી, તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની કરાવી શરૂઆત- Video

રામાયણના કથાવાચક મોરારી બાપુના હસ્તે આજે એસટીના નવા રૂટનો આરંભ કરવામાં આવ્યો. તલગાજરડાથી સાળંગપુર એસટીના નવા રૂટની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે ખુદ મોરારીબાપુએ આ બસમાં બેસી તેમનો રાજીપો વ્યક્ત કર્યો.

| Edited By: | Updated on: Mar 03, 2026 | 5:10 PM

છેલ્લા કેટલાય વર્ષોથી તલગાજરડાથી સાળંગપુર જવા માટેની એસ.ટી. બસ સેવા શરૂ કરવા માટે માગ કરાઈ રહી હતી. વર્ષોની આ માગ આજે પૂર્ણ થઈ છે અને તલગાજરડાથી સાળંગપુરની એસ.ટી. બસ સેવાનો પ્રારંભ કરાયો છે. કથાવાચક મોરારીબાપુના વરદહસ્તે આ એસ.ટી. બસ સેવાના નવા રૂટનો શુભારંભ કરવામાં આવ્યો. તલગાજરડાથી સાળંગપુર એસ.ટી.બસના નવા રૂટની શરૂઆત કરાવી છે. આ તકે ખુદ મોરારી બાપુ આ બસમાં સવાર થયા હતા. ન માત્ર બસમાં બેઠા પરંતુ સામાન્ય મુસાફરની જેમ મોરારીબાપુએ કન્ડક્ટરને રૂ. 500 આપી ટિકિટ પણ લીધી હતી

તલગાજરડાથી સાળંગપુર સુધીની આ નવી એસટી બસ નો આરંભ થતા મોરારી બાપુએ તેનો રાજીપો વ્યક્ત કર્યો હતો. આ બસમાં મોરારીબાપુ સાથે ડાયરા કલાકાર માયાભાઈ આહિર પણ બેસેલા જોવા મળ્યા હતા. વર્ષોથી આ રૂટની બસ શરૂ કરવા માટેની માગ પૂર્ણ થતા આસપાસના વિસ્તારના તમામ લોકોએ ખુશી વ્યક્ત કરી છે. સાળંગપુર સુધીની બસ સેવા શરૂ થતા ભક્તો અને મુસાફરોમાં ખુશી જોવા મળી રહી છે.

‘PK’ નું પ્રમોશન… પહેલા ભાજપ યુવા મોરચાની કમાન, હવે નવા સંગઠનમાં સૌથી પાવરફુલ મહામંત્રીનો કાર્યભાર- કોણ છે JV ના વિશ્વાસુ ‘PK’?