“12 જ્યોતિર્લિંગ રામકથા” મોરારીબાપુની રામકથા આજે ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ ધામે પહોંચી, જુઓ Video

“12 જ્યોતિર્લિંગ રામકથા” મોરારીબાપુની રામકથા આજે ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ ધામે પહોંચી, જુઓ Video

| Edited By: | Updated on: Aug 03, 2023 | 11:30 PM

ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ ધામે મોરારીબાપુની રામકથા પહોંચી જ્યાં મોરારી બાપુએ અહીં શ્રીરામના સ્મરણ સાથે શિવધૂન પણ બોલાવી હતી.

22 જુલાઈથી શરૂ થયેલી મોરારીબાપુની અનોખી જ “12 જ્યોતિર્લિંગ રામકથા” યાત્રામાં અત્યાર સુધી નવ જ્યોતિર્લિંગ ધામે રામકથા સંપન્ન થઈ ચૂકી છે. જે અંતર્ગત આજે મહારાષ્ટ્રના ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ ધામે રામકથાનું આયોજન થયું હતું.

દ્વાદશ જ્યોતિર્લિંગમાં ઘૃષ્ણેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ એ બારમું સ્થાન ધરાવે છે. ત્યારે આ ધામમાં મોરારીબાપુના મુખે રામકથાનું શ્રવણ કરી ભક્તો અત્યંત ભાવવિભોર બની ગયા હતા. તેમણે અહીં શ્રીરામના સ્મરણ સાથે શિવધૂન પણ બોલાવી હતી. શ્રદ્ધાળુઓનું કહેવું હતું કે 12 જ્યોતિર્લિંગના દર્શન સાથેની આ રામકથાની યાત્રામાં નાની મુશ્કેલીઓ તો આવે છે, પણ, આ મુશ્કેલીઓ તો તેમને પ્રભુના પ્રસાદ જેવી લાગે છે.

આ પણ વાંચો : આજે 12 જ્યોતિર્લિંગ રામકથા યાત્રાનો આઠમો પડાવ, ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ ધામે પહોંચી રામકથા, જુઓ Video

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં રામકથાનો આજે આ અંતિમ પડાવ હતો. હવે શુક્રવારે મધ્યપ્રદેશના ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના સાનિધ્યે ભક્તોને રામકથાના શ્રવણનો લાભ મળશે.

ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.