Surat: વરસાદ ખેંચાયો હવે શું થશે, સુરતમાં માંગરોળના ખેડૂતોની હાલત કફોડી, જુઓ Video

|

Sep 06, 2023 | 9:31 PM

માંગરોળ તાલુકામાં મોટા ભાગના લોકો ખેતી પર નિર્ભર છે અને ખેતીમાં જે પણ આવક થાય તેના પર ઘરનું ગુજરાન ચાલતું હોય છે. પરંતુ હાલ વરસાદનો એક છાંટો પણ ન થતા તૈયાર ઉભા પાકમાં જીવાતો પડી છે. જેના કારણે પાક નષ્ટ થવાના આરે છે. ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ લાવીને અને સોનાના દાગીના ગીરવે મુકી વાવેતર કર્યું હતું. પરંતુ ઓગસ્ટ મહિનામાં વરસાદ નહીં આવતા ખેડૂતોની ચિંતા વધી છે.

એક તરફ રાજ્યમાં ફરી વરસાદી માહોલ છવાયો છે. બીજી તરફ સુરતમાં વરસાદ ખેંચાતા માંગરોળના ખેડૂતોની હાલત કફોડી બની છે. વરસાદ ન આવતા સોયાબીનના પાકમાં જીવાત પડતા ખેડૂતોના હાથમાં આવેલો કોળીયો છીનવાઈ ગયો. ખેડૂતોએ સારા વરસાદની આશાએ સોયાબીનના પાકની વાવણી કરી હતી.

પરંતુ હાલ વરસાદનો એક છાંટો પણ ન થતા તૈયાર ઉભા પાકમાં જીવાતો પડી છે. જેના કારણે પાક નષ્ટ થવાના આરે છે. જેથી ખેડૂતોએ સરકાર પાસે સર્વે કરાવી યોગ્ય વળતર ચૂકવવા માગ કરી હતી.

આ પણ વાંચો : Ahmedabad: AMCની ઢોર પકડ પાર્ટીની કામગીરી સામે પશુપાલકોનો વિરોધ, જુઓ Video

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

માંગરોળ તાલુકામાં મોટાભાગના લોકો ખેતી પર નિર્ભર છે અને ખેતીમાં જે પણ આવક થાય તેના પર ઘરનું ગુજરાન ચાલતું હોય છે. ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ લાવીને અને સોનાના દાગીના ગીરવે મુકી વાવેતર કર્યું હતું. પરંતુ ઓગસ્ટ મહિનામાં વરસાદ નહીં આવતા ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે. હવે વરસાદ કયારે આવશે તેની ખેડૂતો કાગડોળે રાહ જોઈ રહ્યા છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article