Surat: વરસાદ ખેંચાયો હવે શું થશે, સુરતમાં માંગરોળના ખેડૂતોની હાલત કફોડી, જુઓ Video

|

Sep 06, 2023 | 9:31 PM

માંગરોળ તાલુકામાં મોટા ભાગના લોકો ખેતી પર નિર્ભર છે અને ખેતીમાં જે પણ આવક થાય તેના પર ઘરનું ગુજરાન ચાલતું હોય છે. પરંતુ હાલ વરસાદનો એક છાંટો પણ ન થતા તૈયાર ઉભા પાકમાં જીવાતો પડી છે. જેના કારણે પાક નષ્ટ થવાના આરે છે. ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ લાવીને અને સોનાના દાગીના ગીરવે મુકી વાવેતર કર્યું હતું. પરંતુ ઓગસ્ટ મહિનામાં વરસાદ નહીં આવતા ખેડૂતોની ચિંતા વધી છે.

એક તરફ રાજ્યમાં ફરી વરસાદી માહોલ છવાયો છે. બીજી તરફ સુરતમાં વરસાદ ખેંચાતા માંગરોળના ખેડૂતોની હાલત કફોડી બની છે. વરસાદ ન આવતા સોયાબીનના પાકમાં જીવાત પડતા ખેડૂતોના હાથમાં આવેલો કોળીયો છીનવાઈ ગયો. ખેડૂતોએ સારા વરસાદની આશાએ સોયાબીનના પાકની વાવણી કરી હતી.

પરંતુ હાલ વરસાદનો એક છાંટો પણ ન થતા તૈયાર ઉભા પાકમાં જીવાતો પડી છે. જેના કારણે પાક નષ્ટ થવાના આરે છે. જેથી ખેડૂતોએ સરકાર પાસે સર્વે કરાવી યોગ્ય વળતર ચૂકવવા માગ કરી હતી.

આ પણ વાંચો : Ahmedabad: AMCની ઢોર પકડ પાર્ટીની કામગીરી સામે પશુપાલકોનો વિરોધ, જુઓ Video

Navratri: નવરાત્રી દરમિયાન ભૂલથી પણ આ વસ્તુઓ ન ખરીદો, તમારા જીવનમાં ગરીબી છવાઈ જશે!
તુલસીના છોડમાં કીડીઓનું નીકળવું કઈ વાતનો આપે છે સંકેત?
ચૈત્ર નવરાત્રી આજથી શરૂ ! આ 5 રાશિઓનું ભાગ્ય ચમકી ઉઠશે
Plant in pot : ઘરે જ તૈયાર કરો જૈવિક ખાતર, આ રહી સાચી અને સરળ રીત
આજનું રાશિફળ તારીખ : 30-03-2025
શુભમન ગિલે IPLમાં નવો રેકોર્ડ બનાવ્યો

માંગરોળ તાલુકામાં મોટાભાગના લોકો ખેતી પર નિર્ભર છે અને ખેતીમાં જે પણ આવક થાય તેના પર ઘરનું ગુજરાન ચાલતું હોય છે. ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ લાવીને અને સોનાના દાગીના ગીરવે મુકી વાવેતર કર્યું હતું. પરંતુ ઓગસ્ટ મહિનામાં વરસાદ નહીં આવતા ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે. હવે વરસાદ કયારે આવશે તેની ખેડૂતો કાગડોળે રાહ જોઈ રહ્યા છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો