માવઠાએ ભારે કરી, ઊંઝા માર્કેટ યાર્ડમાં અજમાની મબલખ આવક પરંતુ પૂરતા ભાવ ન મળતા ખેડૂતો પરેશાન- Video

ગુજરાતના સૌથી મોટા માર્કેટ ઊંઝા માર્કટ યાર્ડમાં હાલ અજમાની વ્યાપક આવક થઈ છે. રોજના 200 થી 250 અજમાની ગુણીઓ આવી રહી છે પરંતુ કાળાશ પડતા અજમાને કારણે ખેડૂતોને પૂરતા ભાવ નથી મળી રહ્યા

| Edited By: | Updated on: Feb 05, 2026 | 7:23 PM

ઉત્તર ગુજરાતનું જાણીતું અને એશિયાનું સૌથી મોટું મસાલા બજાર ગણાતું ઊંઝા માર્કેટ યાર્ડ અત્યારે નવા અજમાની આવકથી ધમધમી રહ્યું છે. હાલમાં ઊંઝા માર્કેટ યાર્ડમાં નવા અજમાની આવક શરૂ થઈ ગઈ છે.

દરરોજ અંદાજે 200 થી 250 ગુણી અજમાની આવક થઈ રહી છે. ખેડૂતોને તેમના માલના 2500 થી 3500 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે. જોકે, ચાલુ વર્ષે કમોસમી વરસાદને કારણે અજમાના પાકની ગુણવત્તા પર માઠી અસર જોવા મળી છે. ખેતી નિષ્ણાતો અને વેપારીઓના મતે, આ વર્ષે વરસાદને કારણે અજમાના પાકને વ્યાપક નુકસાન થયું છે, જેના કારણે માર્કેટમાં આવી રહેલા અજમામાં કાળાશ જોવા મળી રહી છે.

ઊંઝા માર્કેટ યાર્ડમાં નવા અજમાના આગમન સાથે જ વેપારમાં તેજી જોવા મળી રહી છે. જોકે, કુદરતની થપાટને કારણે ખેડૂતોને પાકની ગુણવત્તા બાબતે થોડું સહન કરવું પડી રહ્યું છે. તેમ છતાં, ઊંઝા તેની ભૌગોલિક સ્થિતિ અને વિશાળ માળખાને કારણે અજમાના વેપારમાં પોતાની પકડ મજબૂત બનાવી રહ્યું છે.

ICC T20 WC 2026: ભારતની આ ચાલથી બર્બાદ થઈ જશે પાકિસ્તાન ક્રિકેટ, ટીમ ઈન્ડિયા કોલંબો જશે, ટોસ માટે મેદાન પર આવશે સૂર્યકુમાર યાદવ