Gujarati Video : દક્ષિણ ગુજરાતના CNG પંપ માલિકો હડતાળ પર, 250 જેટલા CNG પંપ સંચાલકો 24 કલાક બંધ પાળશે

|

Feb 06, 2023 | 9:45 AM

Surat News : આજે દક્ષિણ ગુજરાતના CNG પંપ માલિકો હડતાળ પર ઉતર્યા છે. કમિશન મુદ્દે સરકાર સામે વિરોધ વ્યક્ત કરવા CNG પંપ માલિકોએ હડતાળનું હથિયાર ઉગામ્યું છે.

દક્ષિણ ગુજરાત ખાતે લાંબા સમયથી પડતર માગણીનો ઉકેલ ન આવ્યો હોય દક્ષિણ ગુજરાતના સીએનજી પંપધારકો દ્વારા એક દિવસીય હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. આજે દક્ષિણ ગુજરાતના CNG પંપ માલિકો હડતાળ પર રહેશે.ગુજરાત ગેસના 250 જેટલા CNG પંપ 24 કલાક માટે બંધ રહેશે. સરકારને વારંવાર રજૂઆત છતાં કમિશન ન વધારતા હવે બંધ પાળીને વિરોધ વ્યક્ત કરાઈ રહ્યો છે..

આજે દક્ષિણ ગુજરાતના CNG પંપ માલિકો હડતાળ પર ઉતર્યા છે. કમિશન મુદ્દે સરકાર સામે વિરોધ વ્યક્ત કરવા CNG પંપ માલિકોએ હડતાળનું હથિયાર ઉગામ્યું છે. ગુજરાત ગેસના 250 જેટલા CNG પંપ સંચાલકોએ 24 કલાક માટે બંધ પાળ્યો છે સરકારને વારંવાર રજૂઆત છતાં કમિશન ન વધારતા હવે બંધ પાળીને વિરોધ વ્યક્ત કરાઈ રહ્યો છે. જો કે આ હડતાળને લઈને CNG વાહનધારકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

છેલ્લા દોઢ વર્ષથી સીએનજી પંપ ધારકોનું કમિશન રૂ 1.25થી વધારવાની માગ યથાવત રાખવામાં આવી હતી. પરંતુ ગેસ કંપની દ્વારા તેમની માગ નહીં સંતોષતા ફરી વાર આવતીકાલે CNG પંપ બંધ રાખશે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ ગુજરાત ગેસ કંપની લિમીટેડની ફ્રેન્ચાઈઝી ધરાવતા પંપ ધારકોની મીટિંગ મળી હતી, જેમાં કંપની દ્વારા પંપ ધારકોની કરાતી સતત અવગણનાના મુદ્દે ચર્ચા થઈ હતી. જો કે આ બેઠક પડી ભાંગી હતી, પડતર માગણીના ઉકેલ લાવવામાં કરવામાં આવતા વિલંબ સામે પંપ ધારકોમાં ભારે અસંતોષ ફેલાયો હતો.

Next Video