રાધનપુરના પાંચ ગામમાં ચૂંટણી બહિષ્કાર, નેતાઓને પ્રચાર માટે આવવા પ્રતિબંધ
પાટણમાં રાધનપુરના પાંચ જેટલા ગામોએ તો ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉગામીને કોઇ પણ રાજકીય નેતાને ગામમાં પ્રચાર માટે આવવા પર પ્રતિબંધ મુક્યો છે. રાધનપુર મત વિસ્તાર હેઠળના નજૂપુરા, શેરગઢ, નવા શબ્દલપુરા અને જુના શબ્દલપુરા સહિતના ગામોમાં રસ્તાઓ બનાવવાની માગ છે. ગામ લોકોએ બેનરો લગાવીને ચૂંટણી પ્રચાર માટે આવતા નેતાઓને ચેતવણી આપી છે.
એક તરફ ઉમેદવારો હવે ગામે ગામ ફરીને પ્રચાર કરી રહ્યા છે તો બીજી તરફ મતદારો પણ સમસ્યાઓને લઇને આકરા પાણીએ છે. પાટણમાં રાધનપુરના પાંચ જેટલા ગામોએ તો ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉગામીને કોઇ પણ રાજકીય નેતાને ગામમાં પ્રચાર માટે આવવા પર પ્રતિબંધ મુક્યો છે.
રાધનપુર મત વિસ્તાર હેઠળના નજૂપુરા, શેરગઢ, નવા શબ્દલપુરા અને જુના શબ્દલપુરા સહિતના ગામોમાં રસ્તાઓ બનાવવાની માગ છે. ગામ લોકોએ બેનરો લગાવીને ચૂંટણી પ્રચાર માટે આવતા નેતાઓને ચેતવણી આપી છે અને ગામ બહાર જ પહેરો લગાવી દીધો છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો