Jamnagar Video : ભાઈએ જ વિશ્વાસધામ આશ્રમમાંથી બહેનનું કર્યુ અપહરણ, 9 લોકો વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

|

Mar 31, 2024 | 11:43 AM

જામનગરના કાલાવડના નવાગામમાં ખાતે આવેલુ વિશ્વાસધામ આશ્રમમાં સેવિકાનું અપહરણ થયુ હોવાની ઘટના સામે આવી છે. મહિલા પરિવારનો ત્યાગ કરતા તેના ભાઈઓ સહિત 9 લોકોએ અપહરણ કર્યાનો આરોપ લગાવામાં આવી રહ્યો છે. બે કારમાં 9 શખ્સોએ મહિલાના અપહરણનો પ્રયાસ કર્યો હતો.

જામનગરના કાલાવડના નવાગામમાં ખાતે આવેલુ વિશ્વાસધામ આશ્રમમાં સેવિકાનું અપહરણ થયુ હોવાની ઘટના સામે આવી છે. મહિલા પરિવારનો ત્યાગ કરતા તેના ભાઈઓ સહિત 9 લોકોએ અપહરણ કર્યાનો આરોપ લગાવામાં આવી રહ્યો છે. બે કારમાં 9 શખ્સોએ મહિલાના અપહરણનો પ્રયાસ કર્યો હતો. અપહરણની ઘટના CCTV ફૂટેજમાં કેદ થયા છે. આશ્રમના સંચાલકોએ પોલીસને જાણ કરતા કંડોરણા ચેકપોસ્ટ પાસેથી મહિલાને છોડાવી હતી. મહિલાએ બે ભાઈ સહિત 9 સામે ફરિયાદ નોંધાવી છે.

બીજી તરફ આ અગાઉ વલસાડના પુના ગામમાં એક વ્યક્તિનું અપહરણ કર્યા બાદ હત્યાનો મામલો સામે આવ્યો હતો. હત્યાની ઘટનાને છૂપાવવા આરોપીઓએ લાશને સળગાવી દીધી હતી. આરોપીના મિત્રના ભાઈની હત્યાનું વેર રાખી વ્યક્તિનું અપહરણ કરી હત્યાના ગુનાને અંકજામ અપાયો હતો.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Video