અમરેલીથી જૂનાગઢ સુધી… ગામડાઓમાં ‘સિંહ રાજ’, જંગલ છોડીને રસ્તાઓ પર આવ્યા ગીરના રાજા – જુઓ Video

અમરેલીથી જૂનાગઢ સુધી… ગામડાઓમાં ‘સિંહ રાજ’, જંગલ છોડીને રસ્તાઓ પર આવ્યા ગીરના રાજા – જુઓ Video

| Updated on: Aug 04, 2026 | 2:21 PM

ગીરના સિંહો હવે જંગલની સીમાઓ વટાવી અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે. રહેણાંક વિસ્તારો, ખેતરો અને રસ્તાઓ પર સિંહોના આંટાફેરાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, જે માનવ-સિંહ સહઅસ્તિત્વની નવી વાસ્તવિકતા દર્શાવે છે. વન વિભાગ દ્વારા સાવચેતી રાખવા અને ગભરાયા વગર જાણ કરવાની અપીલ કરાઈ છે.

ગુજરાતના ગીરના જંગલના સાવજો હવે તેમની પરંપરાગત સીમાઓ વટાવીને નવા વિસ્તારોમાં પગપેસારો કરી રહ્યા છે. અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ જેવા જિલ્લાઓના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં સિંહો ખુલ્લેઆમ આંટાફેરા કરતા જોવા મળી રહ્યા છે. આ ઘટનાઓ સિંહોની વધતી સંખ્યા અને તેમના વિસ્તરતા રહેઠાણ વિસ્તારનો સંકેત આપે છે.

જૂનાગઢના રહેણાંક વિસ્તારોમાં સિંહની હાજરી સામાન્ય બની રહી છે, જ્યાં વાણદ સોસાયટી જેવા સ્થળોએ સિંહો સીસીટીવીમાં કેદ થયા છે. ગીર સોમનાથના ઉનાના પાતાપુરામાં એક ખેતરમાં સિંહ પરિવાર પસાર થઈ રહ્યો હતો, ત્યારે એક ખેડૂત નિર્ભયપણે તેમની પાછળ ચાલતો જોવા મળ્યો, જે સિંહ અને માનવી વચ્ચેના શાંતિપૂર્ણ સહસંબંધનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

સિંહોના ટોળા વચ્ચે મુકાબલો

જો કે, અમરેલીના રાજુલાના ખારી ગામે એક આખલા અને સિંહોના ટોળા વચ્ચે રોમાંચક મુકાબલો થયો હતો, જેમાં આખલાની હિંમત સામે સિંહોને પીછેહઠ કરવી પડી હતી. રાજુલાના આગરિયા ગામે પણ ગામની શેરીઓમાં સિંહો દેખાતા લોકોમાં ભય અને પશુઓમાં ભાગદોડ મચી હતી.

નિષ્ણાતો અને વન વિભાગ દ્વારા આવા સમયે ગભરાયા વગર સુરક્ષિત રહેવા, ભીડ ન કરવા, ઉશ્કેરણીથી દૂર રહેવા અને તાત્કાલિક વન વિભાગને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.

પાલનપુરમાં હોટલ માલિકની અતૂટ આસ્થા, 4 મહિના પહેલાં ખોવાયેલો ડોગ પરત મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ કરી

Follow Us
Loading...
Unable to load recommendations.