VIDEO : ઝડપાયેલા દારૂના જથ્થાની હરાજી કરવી જોઈએ ! કોંગી નેતા લલિત વસોયાએ CMને પત્ર લખી આપી સલાહ
કોંગ્રેસના નેતા લલિત વસોયાએ CMને પત્ર લખીને કહ્યું કે,"ગુજરાતમાં દર વર્ષે 200 કરોડની રકમનો દારૂ ઝડપાય છે, આ દારૂનો નાશ કરવાને બદલે અન્ય રાજ્યમાં હરાજી કરવી જોઈએ, અને હરાજીમાં મળેલી રકમને શહીદો અને પોલીસ જવાનના પરિવારને સહાયરૂપે આપવી જોઈએ"
દારૂબંધી ધરાવતા ગુજરાતમાં ઝડપાયેલા દારૂના જથ્થાને લઈ ધોરાજીના પૂર્વ કોંગી MLA લલિત વસોયાએ CMને પત્ર લખ્યો છે. અને રાજ્યમાં ઝડપાયેલા દારૂના જથ્થાને જાહેર હરાજીથી અન્ય રાજ્યમાં વહેંચવા માગ કરી છે. આ ઉપરાંત વધુમાં જણાવ્યું છે કે, “ગુજરાતમાં દર વર્ષે 200 કરોડની રકમનો દારૂ ઝડપાય છે, આ દારૂનો નાશ કરવાને બદલે અન્ય રાજ્યમાં હરાજી કરવી જોઈએ, અને હરાજીમાં મળેલી રકમને શહીદો અને પોલીસ જવાનના પરિવારને સહાયરૂપે આપવી જોઈએ….”
View this post on Instagram
દારૂબંધી છતાં ગાંધીના ગુજરાતમાં દારૂની બેફામ હેરાફેરી
આ ઉપરાંત લલિત વસોયાએ પત્રમાં જણાવ્યું છે કે,ગુજરાત વિધાનસભામાં સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર 2020-21ના એક વર્ષમાં રાજ્યમાં 215 કરોડથી વધુનો વિદેશી દારુ તેમજ 16 કરોડ કરતાં વધારે રૂપિયાનો બીયરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જેનો પોલીસ વિભાગના ધારા-ધોરણ મુજબ નાશ કરવામાં આવે છે. આથી સરકાર દારૂ-બીયરના જથ્થાનો નાશ કરવાની જગ્યાએ તેમાંથી આવક મેળવવાનો વિચાર કરશે તો ગુજરાતની જનતા પણ તેને આવકારશે.
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
