દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ યથાવત, મુખ્યમાર્ગ પર પાણી ફરી વળતા 7 ગામને અસર

ખંભાળિયા પંથકમાં (khambhaliya) પણ એક સપ્તાહથી નોંધપાત્ર વરસાદ (Rain) વરસ્યો જેના કારણે અનેક નદી- નાળાઓ છલકાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2022 | 11:57 AM

દેવભૂમિ દ્વારકા (Devbhumi Dwarka)જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયા થી સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.તો ખંભાળિયા પંથકમાં (khambhaliya) પણ એક સપ્તાહથી નોંધપાત્ર વરસાદ (Rain) વરસ્યો જેના કારણે અનેક નદી (River) નાળાઓ છલકાયા છે.સલાયા થી ગોઇંજ ગામને જોડતા મુખ્યમાર્ગ પર સ્થાનિક નદીના પાણી ફરી વળ્યાં છે.

ચાલુ વર્ષે 130 ટકા જેટલો વરસાદ નોંધાયો

તો બીજી તરફ ગોઈંજ ગામ નજીક આવેલા મુખ્ય કોઝવે- પર ભારે પાણીનો પ્રવાહ પહોંચતા આસપાસના અન્ય 7 જેટલા ગામને સીધી અસર થઈ છે.કોઝવે- પર પાણી ફરી વળતા સ્થાનિક અને આસપાસના ગામોના લોકો તેમજ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.સ્થાનિકોએ હાલ કોઝ-વે પર પાકા પુલ નું નિર્માણ કાર્ય થાય અને આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તેવી સરકાર (Gujarat govt) પાસે માગ કરી છે.દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલુ વર્ષે મોસમનો (Monsoon)  130 ટકા જેટલો વરસાદ થઈ ચૂક્યો છે જ્યારે ખંભાળિયા તાલુકામાં 160 ટકા જેટલો વરસાદ નોંધાયો છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">