Cyclone Biporjoy ની અસર રૂપેણ બંદરે યથાવત, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ લોકોને ઘરમાં જ રહેવા સલાહ આપી, જુઓ Video
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ વિસ્તારની મુલાકાત લઇને સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમજ લોકોને કામ વિના બહાર ન નીકળવા અને ઘરમાં જ રહેવા અપીલ કરી હતી.
Dwarka : ગુજરાતમાં Cyclone Biporjoy ની અસર રૂપેણ બંદરે યથાવત જોવા મળી રહી છે. તેમજ રૂપેણ બંદરે સવારથી જ ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. જેના પગલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ વિસ્તારની મુલાકાત લઇને સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમજ લોકોને કામ વિના બહાર ન નીકળવા અને ઘરમાં જ રહેવા અપીલ કરી હતી.
આ ઉપરાંત આજે Cyclone Biporjoyની અસર પૂર્ણ થતાં દ્વારકાધીશ મંદિરના દ્વાર ખૂલ્યા છે. 4 દિવસ બાદ જગત મંદિરના શિખર પર ધજા ચઢાવવામાં આવી છે. 2 દિવસ બાદ શિખર પર આવી ધજા બદલવામાં આવી હતી. દર્શનાર્થીઓ માટે ફરી મંદિર ખૂલ્યું છે. હર્ષ સંઘવી આ દરમ્યાન હજાર રહ્યા હતા. હર્ષ સંઘવીએ પુજા કરી હતી. જે બાદ આ ધજા ચડાવવામાં આવી છે.
બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
