વલસાડના ધરમપુર ખાતે આવેલી સ્વામિનારાયણ સંસ્થાની હોસ્ટેલની વિદ્યાર્થીને બાથરુમમાં બંધ કરાઈ હોવાની ઘટના સામે આવી છે. વિદ્યાર્થીની સમયસર સભામાં ન પહોંચતા તેને બાથરૂમમાં બંધ કરવામાં આવી હતી. કલાકો સુધી બાથરૂમમાં બંધ રહેતા વિદ્યાર્થીનીની તબિયત લથડી હતી. હોસ્ટેલ સંચાલકોની બેદરકારી સામે વિદ્યાર્થીનીના પરિવારે આરોપ લગાવ્યો છે.
આ ઉપરાંત પરિવારે પણ આરોપ લગાવ્યો છે કે વિદ્યાર્થીની તબિયત લથડી હોવા છતા સમયસર વિદ્યાર્થીનીને હોસ્પિટલમાં લઈ જવામાં આવી ન હતી. હોસ્ટેલની વોર્ડનને વિદ્યાર્થીનીને બાથરૂમમાં બંધ કરતા વિવાદ સર્જાયો છે. રાત્રે હોસ્પિટલમાં વિદ્યાર્થીની સારવાર કરાવી પોલીસમાં ફરિયાદ કરી છે. આદિવાસી વિદ્યાર્થીની ને ન્યાય ન મળે તો રસ્તા પર ઉતરવાની ચીમકી પરિવારે આપી છે.