જામનગર જિલ્લાના જોડિયા અને જાંબુડા વચ્ચેના રોડ પર આવેલા પાંચ પુલો જર્જરીત હાલતમાં હોવાથી ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પુલોનું નિર્માણ કાર્ય ચાલુ હોવાથી અને સુરક્ષાના કારણોસર કલેક્ટરે આ નિર્ણય લીધો છે. જાહેરનામા મુજબ, ભારે, અતિભારે અને તેનાથી પણ મોટા વાહનો માટે આ રસ્તો અત્યારે પ્રતિબંધિત છે. આ રોડ પરના 66 જેટલા સ્ટ્રક્ચરોનું નવીનીકરણ અને 6 મીટર પહોળા રોડને 10 મીટર પહોળો કરવાનું કામ પણ ચાલી રહ્યું છે. ભારે વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે.
જોડીયા-જાંબુડા પાટિયા રોડ પર આવેલા પાંચ મેજર બ્રિજના બાંધકામ જૂના હોવાથી અને મોટાભાગના સ્ટ્રક્ચર તોડીને નવા બનાવવાની કામગીરી મંજૂર થયેલી હોવાથી, હાલની સ્થિતિમાં આ બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર પર કલેક્ટરે પ્રતિબંધ મુક્યો છે.