Navsari: નવસારીમાં ધોધમાર વરસાદ, ખેરગામમાં 4 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો, જુઓ Video

નવસારીમાં સવારે 6 થી 10 વાગ્યા સુધીના 4 કલાકમાં ખેરગામમાં 6 ઇંચ વરસાદ નોંધાયો, ગણદેવી તાલુકામાં 8 થી 10 વાગ્યા સુધીના 2 કલાકમાં 3.5 ઇંચ વરસાદ અને નવસારીમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો. ચીખલી અને જલાલપોરમાં 1 - 1 ઇંચ વરસાદ પડ્યો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2023 | 1:11 PM

નવસારીમાં ધોધમાર વરસાદથી (Heavy Rain) જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. શહેરના મુખ્ય રસ્તા વરસાદી પાણીમાં ગરકાવ થવાથી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. વરસતા વરસાદમાં ટ્રાફિક થતા વાહન ચાલકો પરેશાન થયા અને નવસારીમાં પાલિકાનો પ્રિમોન્સૂન પ્લાન પાણીમાં ધોવાયો. શહેરના રસ્તા બેટમાં ફેરવાતા ઠેર ઠેર ટ્રાફિક જામ થયો છે. જમાલપોર, ઇટાળવા, લુનસીકુઈના રસ્તા પર 3 ફૂટ પાણી ભરાયા હતા. કાલિયાવાડી અને જુના થાના રસ્તા પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી. શહેરનો સુરત (Surat) નવસારી માર્ગ બંધ કરવામાં આવતા લોકો પરેશાન થયા.

નવસારીના ચીખલીમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. પ્રજાપતિ આશ્રમથી શહીદ ચોક જતા માર્ગ પર પાણી ભરાયા હતા. નવસારી જિલ્લામાં વહેલી સવારથી સાંબેલાધાર વરસાદથી જન જીવન પ્રભાવિત થયું હતું. નવસારીમાં સવારે 6 થી 10 વાગ્યા સુધીના 4 કલાકમાં ખેરગામમાં 6 ઇંચ વરસાદ નોંધાયો,

આ પણ વાંચો : Valsad : સેલવાસમાં લો-લેવલ બ્રિજ પરથી 7 વર્ષના પુત્ર સાથે પિતા તણાયા, જુઓ Video

ગણદેવી તાલુકામાં 8 થી 10 વાગ્યા સુધીના 2 કલાકમાં 3.5 ઇંચ વરસાદ અને નવસારીમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો. ચીખલી અને જલાલપોરમાં 1 – 1 ઇંચ વરસાદ પડ્યો. ચીખલી ગણદેવીમાં ભારે વરસાદને કારણે કાવેરી નદીનું જળસ્તર અડધો ફૂટ વધી 12 ફૂટ પર પહોંચ્યું.

નવસારી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">