Gujarati Video : રાજકોટના 67 ગામો માટે રાહતના સમાચાર, ઓગસ્ટ માસના અંત સુધી પીવાના પાણી સમસ્યા નહીં સર્જાય

TV9 GUJARATI

|

Updated on: Mar 30, 2023 | 10:11 AM

રાજકોટના આ ગામડાઓને પીવાનું પાણી પુરૂ પાડતા ભાદર-2 ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ધોરાજી તાલુકાના ભૂખી ગામ પાસે આવેલા ભાદર-2 ડેમમાં ઓગસ્ટ માસ સુધી ચાલે એટલો પાણીનો જથ્થો છે.

રાજકોટ જિલ્લાના ધોરાજી, કુતિયાણા અને માણાવદરના 67 ગામો માટે રાહતના સમાચાર છે. રાજકોટના આ ગામડાઓને પીવાનું પાણી પુરૂ પાડતા ભાદર-2 ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ધોરાજી તાલુકાના ભૂખી ગામ પાસે આવેલા ભાદર-2 ડેમમાં ઓગસ્ટ માસ સુધી ચાલે એટલો પાણીનો જથ્થો છે. જેથી ઓગસ્ટ માસના અંત સુધી આ 67 ગામોને પીવાના પાણીની સમસ્યા નહીં સર્જાય તેવી શક્યતા છે.

આ પણ વાંચો : Rajkot: માધવપુરના મેળા માટે 70 બસ ફાળવાઈ, 30 માર્ચથી શરૂ થશે મેળો

ન્યારી-1 ડેમમાં પહોંચ્યું સૌની યોજનાનું પાણી

તો બીજી તરફ રાજકોટના ન્યારી-1 ડેમમાં સૌની યોજનાનું પાણી પહોંચ્યું છે. ઉનાળાની શરૂઆતમાં જ રાજકોટમાં પાણીની બુમરાણ ઉગ્ર બની હતી. શહેરના ડેમ તળિયા ઝાટક થવાના આરે હતા. જેને લઈને રાજકોટ કોર્પોરેશને સરકાર પાસે પાણીની માગ કરી હતી. જેથી ન્યારી-1 ડેમમાં સૌની યોજનાનું પાણી પહોંચાડવામાં આવ્યું છે.

શું છે સૌની યોજના?

સૌની યોજનાનું પૂરું નામ સૌરાષ્ટ્ર-નર્મદા સિંચાઈ યોજના છે. આ યોજનાનું સપનું ગુજરાતના ભૂતર્પૂવ મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતના પાણીની અછતવાળા વિસ્તારોમાં પાણી પૂરું પાડવા માટે અમલમાં મુકવામાં આવી હતી. આ યોજનાની જાહેરાત વર્ષ 2012માં કરવામાં આવી હતી.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati