Gujarati Video : રાજકોટ અને જુનાગઢના ખેડૂતો માટે સારા સમાચાર, ભાદર ડેમ-1માંથી પિયત માટે પાણી છોડાશે

અધિકારીના જણાવ્યા પ્રમાણે ભાદર-1 ડેમમાં હાલ 18.90 ફૂટ જેટલો એટલે કે 16.90 MCFT ફૂટ પાણીનો જથ્થો છે. જેમાંથી ભાદર સિંચાઈ વિભાગ દ્વારા 1000 MCFT પાણીનો જથ્થો પ્રી-ખરીફ પાકના સિંચાઈ માટે આપવામાં આવશે જેનાથી પાકને બે વાર પાણ મળી રહેશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 20, 2023 | 1:08 PM

રાજકોટ(Rajkot)  અને જૂનાગઢ જિલ્લાના 45 ગામના ખેડૂતો(Farmers) માટે સારા સમાચાર છે. આ ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે ભાદર-1 ડેમમાંથી ઓવરણ પાકના પિયત માટે પાણી છોડવામાં આવ્યું છે.. ગત વર્ષ ખૂબ સારા વરસાદને પગલે ભાદર ડેમ-1 ડેમ ચોમાસામાં ઓવરફલો થયો હતો. જેને કારણે ડેમમાં ઉનાળો પૂરો થવા આવ્યો છતાં નોંધપાત્ર પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

જેથી સિંચાઈ વિભાગે ઓવરણ પાક માટે પાણી આપવાનો નિર્ણય લેવાયો હતો. જે અંતર્ગત ઓવરણ પાક માટે ભાદર કેનાલમાં 1000 MCFT પાણી છોડવામાં આવ્યું છે.. આ પાણી થકી 45 ગામોની 4500 હેકટર જમીનના 4200 ખેડૂતોને પ્રીખરીફ પાકના પિયત માટે પાણી મળી રહેશે.

ભાદર-1 ડેમમાં હાલ 18.90 ફૂટ જેટલો એટલે કે 16.90 MCFT ફૂટ પાણીનો જથ્થો

આ ઉપરાંત જે ખેડૂતો કેનાલનું પાણી મેળવવા ઈચ્છતા હોય તે ફોર્મ ભરી શકે છે.. અધિકારીના જણાવ્યા પ્રમાણે ભાદર-1 ડેમમાં હાલ 18.90 ફૂટ જેટલો એટલે કે 16.90 MCFT ફૂટ પાણીનો જથ્થો છે. જેમાંથી ભાદર સિંચાઈ વિભાગ દ્વારા 1000 MCFT પાણીનો જથ્થો પ્રી-ખરીફ પાકના સિંચાઈ માટે આપવામાં આવશે જેનાથી પાકને બે વાર પાણ મળી રહેશે.

સિંચાઈ માટે પાણી આપ્યા બાદ પણ જેતપુર, રાજકોટ, વીરપુર, અમરનગર જૂથ યોજના અને ખોડલધામને 31 ઓગષ્ટ સુધી પીવાનું પાણી મળી રહે તેટલો પાણીનો જથ્થો અનામત રાખવામાં આવ્યો છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">