Gujarati Video: અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીના સમાજ કાર્ય વિભાગમાં ગેરરીતિની ફરિયાદ નોંધવામાં આવી

|

Feb 11, 2023 | 8:44 PM

નિમણૂક યથાવત્ રહી હોવાને કારણે રંજન ગોહિલને 22.74 લાખનો આર્થિક ફાયદો કરાવ્યો હોવાનો રિપોર્ટ યુનિવર્સિટીની સિન્ડીકેટ બેઠકમાં રજૂ કરાયો હતો. વિપુલ પટેલનું કહેવું છે કે પ્રદીપ પ્રજાપતિએ નિયમો નેવે મૂકીને યુનિવર્સિટીને આર્થિક નુકસાન પહોંચાડ્યું છે.

અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીના સમાજ કાર્ય વિભાગમાં ગેરરીતિની ફરિયાદ નોંધવામાં આવી છે. યુનિવર્સિટીના સમાજકાર્ય વિભાગના પૂર્વ અધ્યાપક અને કોર્ડીનેટર પ્રદિપ પ્રજાપતિ અને રંજન ગોહિલ સામે પ્રોફેસર વિપુલ પટેલે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે કે યુનિવર્સિટીના સમાજકાર્ય વિભાગમાં પ્રદીપ પ્રજાપતિએ 2019માં રંજન ગોહિલની એડહોક તરીકે નિમણૂંક કરી હતી, પરંતુ કાયમી ભરતી બાદ આ નિમણૂંક રદ કરવાની હોવા છતા પ્રદીપ પ્રજાપતિએ રંજન ગોહિલની નોકરી ચાલું રાખી હતી.

આ નિમણૂક યથાવત્ રહી હોવાને કારણે રંજન ગોહિલને 22.74 લાખનો આર્થિક ફાયદો કરાવ્યો હોવાનો રિપોર્ટ યુનિવર્સિટીની સિન્ડીકેટ બેઠકમાં રજૂ કરાયો હતો. વિપુલ પટેલનું કહેવું છે કે પ્રદીપ પ્રજાપતિએ નિયમો નેવે મુકીને રંજન ગોહીલને પગાર ચુકવી યુનિવર્સિટીને આર્થિક નુકસાન પહોંચાડ્યું છે. તો બીજી તરફ પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે અગાઉ પણ પ્રદિપ પ્રજાપતિ સામે બે ફરિયાદ નોંધાઇ ચુકી છે. હાલ ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શિક્ષણના ધામ વિવિધ કારણોસર વિવાદમાં

બીજી તરફ રાજકોટમાં પણ મારવાડી યુનિવર્સિટી વિવાદનો ભોગ બની છે મારવાડી યુનિવર્સિટીમાં 4 વિદ્યાર્થીઓ સામે ફરિયાદ નોંધાઈ છે આ વિદ્યાર્થીઓએ એનુસૂચિત જાતિના વિદ્યાર્થીને જાતિ વિષયક મહેણાં ટોણા માર્યા હતા. આરોપી વિદ્યાર્થીઓ છેલ્લા 6 મહિનાથી અનુસૂચિત જાતિના વિદ્યાર્થીના ફ્રી-શિપ કાર્ડ સહિત જ્ઞાતિના મુદ્દે વિવિધ મજાક ઉડાવતા હતા.

તેમજ ફ્રી-શિપ કાર્ડ વિના કોલેજમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીની અભ્યાસ કરવાની હેસિયત ન હોવાનું કહેતા હતા. સાથે જ જ્ઞાતિ વિશે વિવિધ વાતો કહી કહીને હડધૂત કરતા હતા. હાલ આ 4 વિદ્યાર્થી સામે કુવાડવા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી સમગ્ર કેસની તપાસ ચાલુ કરવામાં આવી છે.

Next Video