Rajkot Gujarati Video: ખોડલધામના ચેરમેન નરેશ પટેલનો પાટીદાર યુવાનોને હુંકાર, સવા કરોડ છીએ, મુંછના આંકડાનો જરૂર પડે ઉપયોગ કરો

|

Oct 05, 2023 | 1:57 PM

Rajkot: રાજકોટમાં ખોડલધામમાં યોજાયેલી કન્વિનર મિટીંગમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલે પાટીદાર યુવાનોને હુંકાર કર્યો. તેમણે જણાવ્યુ કે ત્યાં ભેગા થવુ જોઈએ. નરેશ પટેલે હુંકાર કર્યો કે સવા કરોડ છીએ, મૂંછના આંકડાનો જરૂર પડે ત્યાં ઉપયોગ કરો

Rajkot: રાજકોટના ખોડલધામમાં યોજાયેલ કન્વિનર મીટમાં નરેશ પટેલે પાટીદાર યુવાનોને હુંકાર કર્યો છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલે નિવેદન આપ્યું હતું કે,, ગુજરાતમાં પટેલ સમાજની સવા કરોડ જેટલી વસ્તી છે, ગમે ત્યારે જરૂર પડે ત્યારે ભેગુ થવું. પાટીદાર યુવાનો હાલના સમયમાં મૂછોના આકડા ચડાવતા થયા છે. મૂછોના આંકડા રાખવા અને જરૂર લાગે ત્યાં તેનો ઉપયોગ પણ કરવો.

આ પણ વાંચો: જૂનાગઢ માંગરોળનાં દરિયાકાંઠે જોવા મળ્યો સિંહ, ફોરેસ્ટ વિભાગે તસવીર કરી શેર

નરેશ પટેલે જણાવ્યુ કે પટેલ સમાજ ભોળો છે. જે ભોળપણનો ખોટી રીતે ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો હતો. જો કે નરેશ પટેલે એમ પણ ઉમેર્યુ હતુ કે સારા કાર્ય માટે સંગઠિત થવાનુ કહુ છુ. ખોટા કામ કરવા માટેનું નથી કહેતો.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 12:34 am, Mon, 2 October 23

Next Video