Gujarati Video: વડોદરામાં કારેલીબાગમાં ઘાસના પુળામાંથી બનાવવામાં આવી 13 ફુટ ઊંચી શ્રીજીની પ્રતિમા, 400 પુળા ડાંગરના ઘાસનો કરાયો ઉપયોગ

Vadodara: વડોદરાના કારેલીબાગમાં ઘાસના પુળામાંથી ગણેશજીની પ્રતિમા બનાવવામાં આવી છે. આ ઈકોફ્રેન્ડલી પ્રતિમા બનાવવા માટે ડાંગરના ઘાસના 400 પુળાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 13 ફુટ ઉંચી આ પ્રતિમા વાસની લાકડી, કાથી, ઘાસ અને સુતળીમાંથી તૈયાર કરવામાં આવી છે.

yunus.gazi
| Edited By: | Updated on: Sep 13, 2023 | 11:39 PM

Vadodara: હાલ ગણેશોત્સવ નજીક છે ત્યારે ગણેશજીની વિધવિધ પ્રતિમાઓ કલાકારો અને કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવે છે. જેમા વડોદરાના કારેલીબાગમાં વલ્લભનગર સોસાયટીના સ્થાનિકોએ ઘાસના પુળામાંથી ગણેશજીની પ્રતિમા બનાવી છે. ગણેશજીની 13 ફુટ ઉંચી આ પ્રતિમા 400 પુળા ડાંગરના ઘાસમાંથી તૈયાર કરવામાં આવી છે. જેમાં વાસની લાકડી, કાથી, સુતળીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ ઘાસના પુળા લોકોએ શ્રીજીની પ્રતિમા બનાવવા માટે દાનમાં આપ્યા હતા. આ પ્રતિમા કોઈ પ્રોફેશનલ આર્ટીસ્ટ દ્વારા નહીં, પરંતુ સોસાયટીના સ્થાનિક યુવકો અને બાળકો દ્વારા તૈયાર કરવામાં આવી છે. દર વર્ષે વલ્લભનગર સોસાયટીના રહીશો દ્વારા ગણેશ વિવિધ પ્રકારની ગણેશજીની પ્રતિમા બનાવવામાં આવે છે.

પ્રતિમાના વિસર્જન માટે પણ વિશેષ વ્યવસ્થા

ગત વર્ષે વલ્લભનગર સોસાયટીના રહીશોએ પેપર કટિંગ, નારિયેળના છોતરાના ભુસામાંથી ઈકોફ્રેન્ડલી પ્રતિમા તૈયાર કરી હતી. ગણેશજીની પ્રતિમાના વિસર્જન માટે પણ વિશેષ આયોજન કરવામાં આવે છે. જેમા નવલખી ખાતે આવેલા કૃત્રિમ તળાવમાં પાણીમાં પ્રતિમાને સ્પર્ષ કરાવી ગૌશાળા અથવા પાંજરાપોળમાં પ્રતિમા લઈ જઈ ગાયોને ખવડાવવામાં આવશે.

આ પણ વાંચો:  Gandhinagar: કલોલ તાલુકા પંચાયતમાં સત્તા પલટો, ભાજપના બબીતા સાકરજી બન્યા તાલુકા પ્રમુખ, કોંગ્રેસના ત્રણ સભ્યો ગૂમ થવા પર વિધાનસભામાં કોંગ્રેસે કર્યો હતો વિરોધ

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજ્યના અનેક રસ્તાઓ ચોમાસા બાદ બન્યા બિસ્માર, ભ્રષ્ટાચારની ખૂલી પોલ
રાજ્યના અનેક રસ્તાઓ ચોમાસા બાદ બન્યા બિસ્માર, ભ્રષ્ટાચારની ખૂલી પોલ
અમિત શાહે 1,651 કરોડના પ્રજાલક્ષી વિકાસકામોનું કર્યુ લોકાર્પણ
અમિત શાહે 1,651 કરોડના પ્રજાલક્ષી વિકાસકામોનું કર્યુ લોકાર્પણ
કાળીગામ અંડરબ્રિજમાં જામ્યા ગંદકીના થર, સ્વચ્છતા પખવાડિયાનો ફિયાસ્કો
કાળીગામ અંડરબ્રિજમાં જામ્યા ગંદકીના થર, સ્વચ્છતા પખવાડિયાનો ફિયાસ્કો
અમદાવાદીઓને હવે ડિસ્કો રોડમાંથી મળશે મુક્તિ, 1લી ઓક્ટો.થી સમારકામ શરૂ
અમદાવાદીઓને હવે ડિસ્કો રોડમાંથી મળશે મુક્તિ, 1લી ઓક્ટો.થી સમારકામ શરૂ
સ્નાતકોને મોબાઈલ ક્ષેત્રમાં મળશે મહિને 2,50,000થી વધુ પગાર
સ્નાતકોને મોબાઈલ ક્ષેત્રમાં મળશે મહિને 2,50,000થી વધુ પગાર
સ્નાતકોને મેડીકલ ક્ષેત્રમાં મળશે મહિને 50,000થી વધુ પગાર
સ્નાતકોને મેડીકલ ક્ષેત્રમાં મળશે મહિને 50,000થી વધુ પગાર
વાપીમાં યુવકે કારના બોનેટ પર બેસીને કરી જોખમી સવારી, વીડિયો વાયરલ
વાપીમાં યુવકે કારના બોનેટ પર બેસીને કરી જોખમી સવારી, વીડિયો વાયરલ
સ્નાતકોને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં મળશે મહિને 25,000થી વધુ પગાર
સ્નાતકોને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં મળશે મહિને 25,000થી વધુ પગાર
હાર્ટએટેક યુવાનોનો લઈ રહ્યો છે જીવ, જાણીતા ડો તેજસ પટેલ શુ કહે છે?
હાર્ટએટેક યુવાનોનો લઈ રહ્યો છે જીવ, જાણીતા ડો તેજસ પટેલ શુ કહે છે?
પિત્ઝા માંથી જીવાત નીકળવાનો મામલો, ગ્રાહકે કરી ફરિયાદ, જુઓ Video
પિત્ઝા માંથી જીવાત નીકળવાનો મામલો, ગ્રાહકે કરી ફરિયાદ, જુઓ Video