Gujarat : પાછલા 24 કલાકમાં કોરોનાના નોંધાયા માત્ર 14 કેસ, મૃત્યુઆંક શૂન્ય

પાછલા 24 કલાકમાં રાજ્યમાં માત્ર 14 કેસ નોંધાયા છે. જ્યારે સતત ચોથા દિવસે દૈનિક મૃત્યુઆંક શૂન્ય નોંધાવાનો સિલસિલો યથાવત રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 25, 2021 | 7:44 AM

Gujarat : રાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાની બીજી લહેર બાદ સૌથી ઓછા કેસ નોંધાયા છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં માત્ર 14 કેસ નોંધાયા છે. જ્યારે સતત ચોથા દિવસે દૈનિક મૃત્યુઆંક શૂન્ય નોંધાવાનો સિલસિલો યથાવત રહ્યો છે. રાજ્યમાં હવે માત્ર 4 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 160 પર પહોંચી છે. જોકે સાજા થવાનો દર 98.76 ટકા પર સ્થિર થયો છે. મહાનગરોની વાત કરીએ તો, અમદાવાદમાં 5 કેસ નોંધાયા તો સુરતમાં 4 અને વડોદરામાં 3 કેસ નોંધાયા. જ્યારે ભાવનગર અને કચ્છમાં 1-1 કેસ નોંધાયા.

રસીકરણની જો વાત કરીએ તો,પાછલા 24 કલાકમાં રાજ્યમાં 4.63 લાખ લોકોનું રસીકરણ કરાયું. જેમાં સૌથી વધુ સુરતમાં 49 હજાર લોકોને રસી અપાઇ. તો અમદાવાદમાં 47 હજાર 647 લોકોનું રસીકરણ કરાયું. આ તરફ વડોદરામાં 23 હજાર અને રાજકોટમાં 19 હજાર 463 લોકોને રસીના ડોઝ અપાયા. આમ રાજ્યમાં કુલ રસીકરણનો આંક 4 કરોડ 36 લાખને પાર પહોંચ્યો છે.

દેશમાં કોરોનાની શું સ્થિતિ ?

દેશમાં કોરોનાના દૈનિક નોંધાતા કેસમાં વધારો થયો છે. દેશમાં એક દિવસમાં નવા 37 હજાર 607 કેસ નોંધાયા છે. આ સાથે જ સક્રિય કેસની સંખ્યા 3.25 કરોડથી વધુ થઈ છે. કાળમુખો કોરોના વધુ 647 લોકોને ભરખી ગયો. અત્યાર સુધી દેશમાં કોરોનાથી 4 લાખ 35 હજાર 788નાં મોત થયા છે. દેશમાં 24 કલાકમાં સારવાર બાદ 33 હજાર 970 લોકો સાજા થયા છે. દેશમાં કુલ નોંધાયેલા કેસના 65 ટકા કેસ ફક્ત કેરળમાં નોંધાયા છે. કેરળમાં કોરોનાના 24 હજાર 296 નવા કેસ નોંધાયા છે. અન્ય રાજ્યોમાં કેસ ખૂબ ઘટી ગયા છે. પરંતુ કેરળમાં હજુ પણ સ્થિતિ થાળે નથી પડી.

Follow Us:
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">