Gujarat : રાજ્ય સરકારનો દર્દીઓના હિતમાં નિર્ણય, હવે 40 હજાર વધારે દર્દીઓની OPD થઈ શકશે

|

Sep 18, 2022 | 10:04 AM

રાજ્યની સરકારી હોસ્પિટલોમાં (govt hospital) પહેલા છ કલાક જ દર્દીઓને OPDમાં સારવાર મળતી હતી અને રોજ સવા લાખ દર્દીઓ લાભ મેળવતા હતા.

રાજ્ય સરકારે (Gujarat Govt) દર્દીઓના હિતમાં મહત્વનો નિર્ણય કર્યો છે.ગુજરાતના તમામ CHC, PHC, મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં OPDના સમયમાં 2 કલાકનો વધારો કરાયો.રાજ્યમાં દર્દીઓને હવે સવારે 9 થી 1 અને સાંજે 3થી 7 સુધી OPDનો લાભ મળશે. જ્યારે 60 વર્ષથી ઉપરના દર્દી માટે અલગ લાઈન અને ખાસ OPD શરૂ કરાશે. રાજ્યની સરકારી હોસ્પિટલોમાં (govt hospital) પહેલા છ કલાક જ દર્દીઓને OPDમાં સારવાર મળતી હતી અને રોજ સવા લાખ દર્દીઓ લાભ મેળવતા હતા.

આરોગ્ય સચિવે સ્ટાફની નવી ભરતી અંગે કરી સ્પષ્ટતા

જો કે હવે બે કલાકનો સમય વધતા વધુ ચાલીસ હજાર દર્દીઓનું નિદાન થઈ શકશે. રાજ્યના આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલે (manoj Agrwal)  સ્ટાફની અછત હોય તો નવી ભરતી કરવાની પણ સ્પષ્ટતા કરી. જ્યારે દૂરથી આવતા દર્દીઓના સગાને સરકાર બે ટાઈમ ભોજન ઉપલબ્ધ કરાવશે. રાજ્ય સરકાર અને સ્વયંસેવી સંસ્થાઓના સહયોગથી દર્દીઓના સગાને ભોજનની સુવિધા મળશે.

વધુમાં અગ્રવાલે જણાવ્યુ કે, રાજયમાં 450 ઉપરાંત સી.એચ.સી, સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલો, ડિસ્ટ્રીકટ હોસ્પિટલો અને મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો કાર્યરત છે.જેમાં હાલ ની ઓ.પી.ડી માં દરરોજ 1.25 લાખથી 1.30 લાખ નાગરિકો ઓ.પી.ડીનો લાભ મળે છે.આ બે કલાકનો સમય વધારવાના લીધે દરરોજના 35 થી 40 હજાર દર્દીઓની OPD થઈ શકશે.

Next Video