ગુજરાતના વીજ ગ્રાહકોના હિતમાં મોટો નિર્ણય, સરકારે વીજ ફ્યુઅલ સરચાર્જમાં 50 પૈસાનો કર્યો ઘટાડો, જુઓ Video

ગુજરાતના વીજ ગ્રાહકોના હિતમાં મોટો નિર્ણય, સરકારે વીજ ફ્યુઅલ સરચાર્જમાં 50 પૈસાનો કર્યો ઘટાડો, જુઓ Video

| Edited By: | Updated on: Mar 19, 2024 | 6:41 PM

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત સરકારે વીજ ગ્રાહકોને મોટી રાહત આપતો નિર્ણય લીધો છે.ગુજરાત સરકારે વીજ ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. સરકારે જાન્યુઆરીથી માર્ચના ફ્યુઅલ સરચાર્જમાં 50 પૈસાનો ઘટાડો કર્યો છે.

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત સરકારે વીજ ગ્રાહકોને મોટી રાહત આપતો નિર્ણય લીધો છે. ગુજરાત સરકારે વીજ ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. સરકારે જાન્યુઆરીથી માર્ચના ફ્યુઅલ સરચાર્જમાં 50 પૈસાનો ઘટાડો કર્યો છે.

આ પણ વાંચો-બનાસકાંઠાઃ ગેનીબેન ઠાકોરે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવાર પસંદગીને લઈ કહી મોટી વાત

આંતરરાષ્ટ્રીય સ્તરે કોલસા અને ગેસના ભાવમાં ઘટાડાને પરિણામે ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ઓક્ટોબર મહિનાથી ડિસેમ્બર દરમિયાન રાજ્ય હસ્તકની વીજ વિતરણ કંપની દ્વારા વીજ ગ્રાહકો પાસેથી પ્રતિ વીજ યુનિટ 3.35 રુપિયા વસુલાતા હતા.જો કે હવે તે ઘટાડીને 2.85 પ્રતિ યુનિટ કરવાનો નિર્ણય લીધો છે. ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ આ અંગેની જાહેરાત કરી છે. આ નિર્ણયથી 1.70 લાખ ગ્રાહકોને ત્રિમાસિક ગાળામાં 1340 કરોડની બચત થશે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Mar 13, 2024 10:36 AM