કોરોનાની દહેશત , ગુજરાતમાં ધોરણ 9 થી 12 ની વાર્ષિક પરીક્ષાની તારીખ પાછી ઠેલાઈ

|

Dec 22, 2021 | 6:36 PM

સરકારે જાહેરાત કરતા કહ્યુ કે, હવે ધોરણ-9 અને ધોરણ-11ની શાળાકીય વાર્ષિક પરીક્ષા 11 એપ્રિલને બદલે 21 એપ્રિલથી શરૂ થશે.. અને આ પરીક્ષા 21 એપ્રિલને બદલે 30 એપ્રિલ સુધી પરીક્ષા ચાલશે....

ગુજરાતની(Guajrat)  સ્કૂલોમાં(School)  પણ કોરોનાના(Corona)  33થી વધુ કેસ અત્યાર સુધીમાં આવી ચૂક્યા છે.. એવામાં હવે આ વધતા કેસોની અસર બોર્ડ તથા ધો.9થી 11ની પરીક્ષા(Exam) પર પડી છે. સરકારે ધોરણ-10 તથા 12 બોર્ડ અને ધોરણ-9થી 11ની વાર્ષિક પરીક્ષા બે અઠવાડિયા સુધી પાછળ લઈ જવાનો નિર્ણય કર્યો છે.. જેના કારણે હવે ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષા 14 માર્ચને બદલે 28 માર્ચથી શરૂ થશે.

સરકારે જાહેરાત કરતા કહ્યુ કે, હવે ધોરણ-9 અને ધોરણ-11ની શાળાકીય વાર્ષિક પરીક્ષા 11 એપ્રિલને બદલે 21 એપ્રિલથી શરૂ થશે.. અને આ પરીક્ષા 21 એપ્રિલને બદલે 30 એપ્રિલ સુધી પરીક્ષા ચાલશે….

શૈક્ષણિક વર્ષ-2021-22માં કોવીડ-19ની પરિસ્થિતિમાં સરકારે કરેલા નિર્ણય મુજબ 15 જુલાઇ 2021થી ધોરણ-12માં તેમજ 26 જુલાઇ 2021થી ધોરણ-9 થી 11માં શાળાઓમાં પ્રત્યક્ષ શૈક્ષણિકકાર્ય શરૂ કરવામાં આવ્યું છે. જેથી અભ્યાસક્રમ પૂરો કરી શકાય તેમજ વિદ્યાર્થીઓને ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાની તૈયારી કરવામાં સમય ન મળે.. તેથી સરકારે નિર્ણય કર્યો છે કે ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરીને આ પરીક્ષાઓ બે અઠવાડિયા જેટલી પાછળ લઇ જવામાં આવે.

આ પણ વાંચો : ગુજરાતમાં પેપર લીક કાંડમાં ગુનેગારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે : જીતુ વાઘાણી

આ પણ વાંચો :Ahmedabad: માહિતી વિભાગની પરીક્ષા કમલમ પ્રેરિત, ભરતી પ્રક્રિયા GPSCને બદલે ખાનગી એજન્સીને સોપી હોવાનો મોઢવાડિયાનો આક્ષેપ

Published On - 6:30 pm, Wed, 22 December 21

Next Video