ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામા પ્રચારના અંતિમ દિવસોમાં રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે. જેમાં આમ આદમી પાર્ટી પણ પ્રચારમાં જોર લગાવી રહી છે. જેમાં સુરત કતાર ગામ વિસ્તારમાં આમ આદમી પાર્ટીના સીએમ અરવિંદ કેજરીવાલના રોડશો માં પથ્થરમારો થયો છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામા પ્રચારના અંતિમ દિવસોમાં રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે. જેમાં આમ આદમી પાર્ટી પણ પ્રચારમાં જોર લગાવી રહી છે. જે અંતર્ગત આજે પંજાબના સીએમનો યાત્રાધામ ડાકોરમાં રોડ શો યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં આપના કાર્યકરો રોડ શોમાં જોડાયા હતા. તેમજ તેમણે ગુજરાતમાં આપ સરકાર બનાવાનો દાવો કર્યો હતો. જ્યારે ડાકોરના ઠાકોર રણછોડજીના દર્શન કર્યા વિના પંજાબ સીએમ પરત ફર્યા હતા. જો કે તેમણે દર્શન ન કરવા જતાં રાજકારણ ગરમાયું હતું. તેમજ દર્શન ન કરવા જનાર આપ સીએમ વિરુદ્ધ ભાજપનું સોશિયલ મીડિયામાં અભિયાન ચલાવવામાં આવ્યું છે. જેમાં ભાજપે સોશિયલ મીડિયામાં આમ આદમી પાર્ટીને હિન્દુ વિરોધી ગણાવી છે.
ઈલેક્શનને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 6:23 pm, Mon, 28 November 22