AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજ્યમાં વરસાદ ખેંચાતા વીજળીની માંગમાં વધારો, ખેડૂતોની માંગ પર સરકાર યોગ્ય સમયે નિર્ણય લેશે : ઉર્જા મંત્રી કનુ દેસાઈ, જુઓ Video

રાજ્યમાં વરસાદ ખેંચાતા વીજળીની માંગમાં વધારો, ખેડૂતોની માંગ પર સરકાર યોગ્ય સમયે નિર્ણય લેશે : ઉર્જા મંત્રી કનુ દેસાઈ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2023 | 12:00 AM
Share

વીજળીના કાપને લઈ ખેડૂતો પરેશાન છે. જેને લઈ વલસાડના ખેડૂતો દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી છે. ખેડૂતોએ સરકારને સિંચાઈ માટે 10 કલાક વીજળી આપવા માંગ કરી છે.

રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતો (Farmers) ચિંતિત થયા છે. લાંબા સમયથી વરસાદે વિરામ લીધો છે, ત્યારે ખેડૂતો પાક બચાવવા માટે સિંચાઈ તરફ વળ્યા છે, પરંતુ વીજળીના કાપને લઈ ખેડૂતો પરેશાન છે. જેને લઈ વલસાડના ખેડૂતો દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી છે. ખેડૂતોએ સરકારને સિંચાઈ માટે 10 કલાક વીજળી આપવા માંગ કરી છે.

આ પણ વાંચો Valsad: વલસાડમાં નકલી જ્યોતિષે ગુપ્ત ધનની લાલચ બતાવી 85 લાખ પડાવી લીધા, પોલીસે કરી ધરપકડ, જુઓ Video

ખેડૂતોની આ માંગને લઈ રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી કનુ દેસાઈએ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોની માંગ પર સરકાર યોગ્ય સમયે નિર્ણય લેશે. સરકાર એના માટે ચિંતિત છે અને એની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે.

વલસાડ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Aug 27, 2023 11:58 PM
g clip-path="url(#clip0_868_265)">