Gir Somnath :ગુજરાતમાં ચોમાસાની સારી શરૂઆત સાથે જ રાજ્યના જળાશયોમાં પાણીની આવક વધી છે. જેમાં રાજ્યના સૌરાષ્ટ્ર પ્રથમ રાઉન્ડમાં પડેલા વરસાદના લીધે અનેક ડેમમાં પાણીની આવક વધી છે. જે અંતર્ગત ગીર સોમનાથની જીવાદોરી સમાન હિરણ-2 ડેમ છલકાયો ચોમસાની શરૂઆતમાં જ છલકાયો છે.આ ડેમ સોમનાથ, વેરાવળ સહિતના ગામો માટે છે જીવાદોરી સમાન છે.
જેની સાથે જ આ ડેમમાંથી સિંચાઈનું પાણી પણ આપવામાં આવે છે.. જેથી ડેમમાં નવા નીર આવતા ખેડૂતો માટે પણ આ ખુશીના સમાચાર છે.. ડેમમાં નવા નીર આવતા ડેમમાં પાણીનું લેવલ જાળવવા ડેમનો એક દરવાજો અડધો ફૂટ સુધી ખોલવામાં આવ્યો છે.. જેને પગલે નિચાણવાળા ગામોને સાવચેત રહેવા જણાવાયું છે.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 9:41 pm, Tue, 4 July 23