Gandhinagar Video : લોકસભાની ચૂંટણી પહેલા દિલ્હી એક્ટિવ ! BJP જ રાખશે BJPના MLA પર બાજ નજર, IB દ્વારા કરવામાં આવ્યો સર્વે

ગુજરાતના રાજકારણને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) પહેલા ભાજપના ધારાસભ્યોનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે. દિલ્હીથી જ ગુજરાતમાં ભાજપના (BJP) MLA પર સતત નજર રાખવામાં આવી રહી છે. આ સર્વે IB દ્વારા સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વે 3 કેટેગરીમાં ચાલી રહ્યો હોવાની માહિતી છે.

Kinjal Mishra
| Edited By: | Updated on: Oct 07, 2023 | 2:37 PM

Gandhinagar : ગુજરાતના રાજકારણને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) પહેલા ભાજપના ધારાસભ્યોનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે. દિલ્હીથી જ ગુજરાતમાં ભાજપના (BJP) MLA પર સતત નજર રાખવામાં આવી રહી છે. આ સર્વે IB દ્વારા સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વે 3 કેટેગરીમાં ચાલી રહ્યો હોવાની માહિતી છે.

આ પણ વાંચો- Surat Video : Bolav ની ફેક્ટરીમાં Kim પોલીસે શંકાસ્પદ ઘી નો જથ્થો સીઝ કર્યો, અખાદ્ય ઘી નું ઉત્પાદન થતું હોવાની શંકા

આ ત્રણ કેટેગરીમાં સર્વે

  • પહેલી વાર જે MLA ચૂંટાયા છે તેમની કામગીરીને લઈ સર્વે કરવામાં આવી રહ્યો છે.તેમના વિસ્તારમાં આ ધારાસભ્યો કેવી કામગીરી કરી રહ્યા છે તે જાણવામાં આવી રહ્યુ છે.
  • જે વિધાનસભામાં નો રિપીટ થિયરી લાગુ કરી નવા ચેહરાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે ત્યાં વિધાનસભાની વાસ્તવિક પરિસ્થિતિને લઈ સર્વે કરવામાં આવશે.
  • જે બેઠક ભાજપ પ્રથમ વાર જીત્યું છે એવી બેઠકો પર ચાલી રહેલી કામગીરીને લઈ સર્વે.

16થી વધુ બેઠક એવી છે કે જે ભાજપે પ્રથમ વખત જીતી

મહત્વનું એટલા માટે કે IB દ્વારા સર્વે ત્રણ કેટેગરીમાં કરવામાં આવી રહ્યો છે.ગુજરાતમાં ભાજપે જીતેલી 156 વિધાનસભા બેઠક પૈકી 16થી વધુ બેઠક એવી છે કે જે ભાજપે પ્રથમ વખત જીતી છે. આ બેઠકો પહેલા કોંગ્રેસના ફાળે હતી. જો કે ભાજપના ફાળે આ બેઠકો પ્રથમ વખત આવી છે. ત્યારે આ બેઠકોમાં ધારાસભ્યોએ કરેલી કામગીરી જાણવામાં આવશે.

જમીની હકીકત જાણવા પ્રયાસ

આમ તો રાજકારણમાં સર્વેની વાત સામાન્ય હોય છે. ચૂંટણી પહેલા ભાજપ સર્વે કરાવતુ રહેતું હોય છે અને IB દ્વારા પણ સર્વે થતો હોય છે. જો કે આ વખતે ભાજપ દ્વારા એક તરફ વિપક્ષની ડિપોઝીટ પણ ડુલ કરવાનો દાવો કરવામાં આવ્યો છે. ત્યારે જમીની હકીકત શું છે તે જાણવી ભાજપ માટે પણ જરુરી છે. ત્યારે જમીની હકીકત જાણવા આ સર્વે કરવામાં આવી રહ્યો છે.

મંત્રી મંડળનું વિસ્તરણ થવાની શકયતા

આ સાથે જ વિધાનસભા ચૂંટણીમાં જે પર્ફોમન્સ નબળુ રહ્યુ હતું, તેને મજબૂત કરવા પ્રયાસ કરવામાં આવશે. વિકાસ કામો પણ કરવામાં આવશે.બીજી તરફ વાયબ્રન્ટ સમિટ બાદ શક્યતા છે કે મંત્રીમંડળમાં નવા ચહેરાઓને સમાવવામાં આવી શકે છે. મંત્રી મંડળનું વિસ્તરણ કરવાની શકયતા પણ રહેલી છે.

 

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">