ગાંધીનગર રાયપુર ગામ નજીક નર્મદા કેનાલમાં અમદાવાદના ચાર યુવાનો ડૂબ્યા

|

Dec 22, 2021 | 11:53 PM

અમદાવાદના 6 યુવકો રાયપુર ગામ પાસે નર્મદા કેનાલે પહોંચ્યાં હતા.જ્યાં ફોટોગ્રાફી સમયે છમાંથી ચાર યુવકો કેનાલમાં ડૂબ્યાં.બનાવની જાણ થતાં જ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે.

ગાંધીનગરના(Gandhinagar)  રાયપુર ગામ પાસે આવેલી નર્મદા કેનાલમાં(Narmada Canal)  ચાર યુવકો(Youth)  ડૂબ્યાં છે. ચારેય યુવકોની હાલ શોધખોળ ચાલી રહી છે.ઘટનાની વાત કરીએ તો બર્થ ડેની ઉજવણી કરવા માટે અમદાવાદના(Ahmedabad)  6 યુવકો રાયપુર ગામ પાસે નર્મદા કેનાલે પહોંચ્યાં હતા.

જ્યાં ફોટોગ્રાફી સમયે છમાંથી ચાર યુવકો કેનાલમાં ડૂબ્યાં.બનાવની જાણ થતાં જ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે.અને ડૂબેલા યુવકોની શોધખોળ શરૂ કરી હતી.

આ અંગે મળતી માહિતી મુજબ આમાંથી એક યુવાનનો જન્મ દિવસ હતો. તેથી કેનાલ પાસે આ યુવાનો સેલ્ફી લઈ રહ્યા હતા. આ દરમિયાન એક યુવાનનો પગ લપસી જતાં તે કેનાલમાં પડી ગયો હતો. જેને બચાવવા માટે એક પછી એક ત્રણ યુવાનો પણ કેનાલમાં ઉતર્યા હતા. તેમજ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ યુવાનોની શોધખોળ શરૂ કરી હતી.

આ પણ વાંચો : AHMEDABAD : સસ્પેન્ડેડ SRP જવાને નકલી પોલીસ બનીને એક મહિલા પાસેથી 11 હજાર પડાવ્યા

આ પણ વાંચો : સુરતથી વૈષ્ણોદેવી દર્શનાર્થે ગયેલા 1600થી વધુ યાત્રિકો ફસાયા, ખેડૂત આંદોલનના લીધે ટ્રેનો રદ

Published On - 11:45 pm, Wed, 22 December 21

Next Video