હવે કાળાબજારીયાઓને જાણે સરકારનો કે વહીવટીતંત્રનો કોઈ ડર જ ન રહ્યો હોય તેવા દશ્યો સામે આવ્યા છે. અનાજની કાળાબજારીના તો અનેક કિસ્સા જોયા હશે પરંતુ આખેઆખુ સરકારી અનાજનું ગોડાઉન ગેરકાયદે રીતે ધમધમતુ હોવાની ઘટના જુનાગઢના બિલખાથી સામે આવી છે. આ ગોડાઉનમાંથી 16 હજાર 900 કિલો અનાજનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ગોડાઉનમાંથી 7 હજાર 350 કિલો ઘઉં, 1 હજાર 750 કિલો ચોખા ચોખા પકડાયા છે. કૂલ 9.25 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
વહીવટી વિભાગે બાતમીને આધારે ગેરકાયદે રીતે ધમધમી રહેલા આ અનાજના ગોડાઉન પર દરોડા કર્યા હતા. આ ગોડાઉન ઈમ્તિયાઝ ચોટલિયા નામનો ઈસમ ચલાવતો હોવાનુ સામે આવ્યુ છે. આ સમગ્ર ઘટનામા જે રેશનકાર્ડ ધારકો સસ્તા અનાજની દુકાનનું અનાજ ગેરકાયદે રીતે વેચી દેતા હોવાનુ જણાશે તેમના રેશનકાર્ડ રદ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે.
છેલ્લા ઘણા સમયથી સસ્તા અનાજના જથ્થામાં ઘટ સામે આવતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી અને કાળાબજારીના રેકેટને પકડવા ચક્રો ગતિમાન કરાયા હતા.
Input Credit- Vijaysinh Parmar- Junagadh
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 1:20 pm, Mon, 8 July 24