સુરેન્દ્રનગરનો ખખડધજ એસ.ટી. ડેપો: બેસવા નથી બાંકડા, નથી પીવા પાણી, જાણો સમગ્ર વિગત

સુરેન્દ્રનગરનું જૂનું બસ સ્ટેન્ડ પાડી નવું આધુનિક બસ સ્ટેન્ડ બનાવવા માટે હોશે હોશે ખાત મુર્હૂત પણ કરી નાખ્યું હતું. પરંતુ સત સાત વર્ષથી મંદગતિના કામથી લોકો પરેશાન છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 08, 2021 | 6:29 AM

સુરેન્દ્રનગર જીલ્લા મલકનું શહેર છે અને સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેશન માંથી રોજ હજારો મુસાફરો આવક જાવક કરે છે પરંતુ છેલ્લા દશ વર્ષથી એસ.ટી. બસ સ્ટેશનનું બાંધકામ ચાલે છે, જેથી મુસાફરો હાલાકી ભોગવી રહયા છે. હાલ હંગામી બસ સ્ટેશન બનાવેલ છે. પરંતુ તેમાં કોઇ સુવિધાઓ નથી. અહીં પાણીની પરબ બંધ છે, પંખા બંધ છે, યોગ્ય રીતે બસ ઉભી રાખવા કોઈ જગ્યા નથી જેથી મુસાફરો એ તાત્કાલિક બસ સ્ટેશનનું કામ પુરૂ કરવા માંગ કરી છે.

તો ધૂળ ખાતુ સુરેન્દ્રનગરનું ધુળિયું બસ સ્ટેન્ડ હાલ ખરાબ હાલતમાં જોવા મળે છે. બસ સ્ટેન્ડની અંદર પ્રવેશ કરો એટલે ધૂળની ડમરીઓથી તમારું સ્વાગત થાય. સ્થિતિ એટલી ખરાબ કે બસ સ્ટેન્ડની અંદર રોડ જ બન્યા નથી. તો હંગામી બસ સ્ટેન્ડમાં મુસાફરો માટે કોઈ સુવિધા જ નથી. ત્યારે મુસાફરો માટે પતરાના સેડ તો નાખ્યા છે પણ મુસાફરોને બેસવા માટે બાકડા નથી. તો પંખા તો છે પણ તે ચાલુ અવસ્થામાં નથી. પીવાના પાણીની પરબ તો છે પણ પીવા લાયક પાણી નથી. અને બીજી તરફ સફાઈના અભાવે શૌચાલયમાં ગંદકી છે.

જ્યારે સુરેન્દ્રનગરનું જૂનું બસ સ્ટેન્ડ પાડી નવું આધુનિક બસ સ્ટેન્ડ બનાવવા માટે હોશે હોશે ખાત મુર્હૂત પણ કરી નાખ્યું હતું. ત્યારે લોકો ખુશ હતા કે સારી સુવિધા મળશે. પરંતુ છેલ્લા સાત વર્ષથી નવા બસ સ્ટેન્ડના કાચબાની ગતિએ ચાલતા કામના કારણે લોકો પરેશાન થઈ ગયા છે. સુવિધાના નામે તો ઝીરો છે. રાત્રે તો બસ સ્ટેન્ડ ડરામણું બની જાય છે. બસ સ્ટેન્ડમાં લાઈટની પણ સુવિધા ન હોવાથી મુસાફરો રાત્રે રોકાતા ડરે છે.

 

આ પણ વાંચો: સુરેન્દ્રનગર એન્કાઉન્ટર : બન્ને કુખ્યાત આરોપીઓના મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોનો ઇનકાર, જાણો શું કહ્યું

આ પણ વાંચો: સુરેન્દ્રનગર એન્કાઉન્ટર અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું મહત્વનું નિવેદન, જાણો શું કહ્યું

Follow Us:
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">