રાજકોટ માં વાલીઓને ચિંતા કરાવી દે એવી ઘટના સામે આવી છે. રિક્ષા અને સ્કૂલ વાનમાં ડ્રાયવરના ભરોસે બાળકોને શાળાએ મોકલનારા વાલીઓને માટે ચેતી જવા રુપ આ કિસ્સો છે. રાજકોટમાં શાળાએ જવા માટે બાળકોને લઈને રિક્ષા ચાલક નિકળ્યા બાદ તે સ્કૂલમાં પહોંચ્યો જ નહોતો. બાળકો શાળા છૂટ્યા સમય બાદ ઘરે પરત નહીં ફરતા વાલીઓ ચિંતામાં મૂકાયા હતા. આ માટે વાલીઓએ બાળકોના મોડા થવાને લઈ ચિંતામાં શાળાનો સંપર્ક કર્યો હતો. પરંતુ શાળામાંથી જવાબ મળ્યો એ ચોંકાવનારો હતો. બાળકો શાળાએ આવ્યા જ નહીં હોવાનુ શાળાએ જણાવ્યુ. આમ વાલીઓના જીવ આ સાંભળી ઉંચા થઈ ગયા હતા.
વાલીઓએ આખરે રિક્ષા ચાલકની શોધખોળ શરુ કરી હતી. આ દરમિયાન રિક્ષા ચાલક બાળકોને શાળાએ લઈ જવાના બદલે અન્ય જ જગ્યાએ ફેરવ્યા હતા. આ સમયે રિક્ષા ચાલક નશામાં હતો અને આવી સ્થિતીમાં તે બાળકોને ફેરવતો રહ્યો હતો. વાલીઓએ રિક્ષા ચાલકને ભારે જહેમત સાથે બાળકો સાથે શોધી નિકાળ્યો હતો. જ્યાં તે નશાની હાલતમાં હોવાનુ જણાતા જ તેને જાહેરમાં લોકોએ ધુલાઈ કરી દીધી હતી. બાળકો પરત હેમખેમ મળતા આખરે વાલીઓને રાહત સર્જાઈ હતી.
રાજકોટ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 9:14 pm, Mon, 17 July 23