સુરત : એક તરફ BTPના નેતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે અને મહેશ વસાવા પાટીલ સાથે મુલાકાત પણ કરી ચૂક્યા છે. પુત્ર મહેશ વસાવાના નિર્ણય સામે પિતા છોટુ વસાવાએ નારાજગી વ્યક્ત કરી છે.
આદિવાસી મસીહા છોટુ વસાવાએ સુરતના એક લગ્ન પ્રસંગ દરમિયાન મહેશ વસાવાના નિર્ણયને લઇ નિવેદન આપ્યું છે.વસાવાએ કહ્યું કે, મહેશ નાસમજ છે અને તેમને મિસગાઇડ કરવામાં આવ્યા છે. ભાજપ કે બીજે ક્યાંય જોડાવાથી સમાજનું ભલું નહીં થાય તેવી વાત કરી હતી. આ ઉપરાંત છોટુ વસાવાએ કહ્યું કે, તેઓ RSSના વિરોધી છે.પુત્ર ભાજપમાં જાય કે બીજે ક્યાંય જોડાય તે વિરોધ કરતા રહેશે…
Input Credit : Jignesh Mehta- Bardoli
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો