નિર્દોષ કામદારોના મોત, જવાબદાર કોણ? ફેક્ટરી બ્લાસ્ટમાં મૃત્યુઆંક 5, 20થી વધુ સારવાર હેઠળ, 2 લાપતા

|

Dec 17, 2021 | 9:28 AM

Factory Blast: પંચમહાલમાં કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટમાં મૃત્યુઆંક વધીને 5 થયો. ત્યારે એસડીઆરએફની ટિમ ઘટના સ્થળે પહોંચી છે.

Panchmahal: પંચમહાલના હાલોલ પાસે GFL કંપનીમાં થયેલા બ્લાસ્ટમાં (Factory Blast) મૃત્યુઆંક વધીને 5 પર પહોંચ્યો છે. ત્યારે બચાવ અને રાહતકાર્ય દરમિયાન વધુ બેનાં મૃતદેહ મળી આવતા 5 લોકોના મોત થયાનું સામે આવ્યું હતું. જણાવી દઈએ કે જીએફએલ ખાતે એસડીઆરએફની ટિમ પહોંચી હોવાની માહિતી સામે આવી છે. તો વડોદરાની એસડીઆરએફની 10 સભ્યોની ટિમ પ્લાન્ટમાં સર્ચ ઓપરેશન કરશે.

તો ગઈકાલ સવારે પ્લાન્ટમાં બ્લાસ્ટ થયા બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. તો સવારે બ્લાસ્ટ બાદ 3 લોકોના મોત થયાનું સામે આવ્યું હતું. જ્યારે આગ પર કાબુ મેળવ્યા બાદ પ્લાન્ટમાંથી ગઈકાલે પણ એસડીઆરએફ દ્વારા સર્ચ કરતા 2 મૃતદેહ મળી આવ્યા હતા.

ગંભીર બાબત છે કે દાઝી ગયેલા 20થી વધુ લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેમાંથી 10 કામદારોની હાલોલની ખાનગી હોસ્પિલમાં સારવાર લઈ રહ્યા છે..જ્યારે 1 કામદારની હાલત વધુ ગંભીર હોવાથી વડોદરા રિફર કરાયો છે. તો બીજીતરફ બ્લાસ્ટ સમયે પ્લાન્ટમાં કામ કરતા બે કામદારો હજુ લાપતા છે. જેમને શોધવા માટે આજે SDRFએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

મહત્વનું છે કે ગઈકાલે રણજીતનગર સ્થિત GFL કંપનીમાં બ્લાસ્ટ થયો હતો. જેના ધડાકા 10 કિલોમીટર દૂર સુધી સંભળાયા હતા. જ્યારે 5 કિલોમીટર સુધીના વિસ્તારમાં વાહન-વ્યવહાર અને સામાન્ય લોકોની અવર-જવર બંધ કરી દેવાઈ હતી. સેફ્ટી કીટ પહેરીને ફાયરની ટીમો કંપનીની અંદર પ્રવેશી હતી અને તપાસ હાથ ધરવામાં આવી હતી. હાલોલ, કાલોલ, ગોધરા તેમજ ખાનગી કંપનીના ફાયર ફાઇટરોએ ઘટનાસ્થળે પહોંચીને 5 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

 

આ પણ વાંચો: સમગ્ર ગુજરાત માટે હાશકારો: જામનગરના ઓમિક્રોનના ત્રણેય દર્દીના રિપોર્ટ નેગેટિવ, દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા

આ પણ વાંચો: All India Mayors’ Conference: PM નરેન્દ્ર મોદી મેયર કોન્ફરન્સને સંબોધશે, ‘ન્યૂ અર્બન ઈન્ડિયા’ બનાવવા પર ભાર મૂકશે

Next Video