નવસારી: ગૌરી આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
નવસારીમાં ગૌરી આશ્રમ શાળા બંધ કરવાની કથિત ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર ગંભીર આરોપ લાગ્યા છે.
નવસારી જિલ્લામાં ખેર ગામની ગૌરી આશ્રમ શાળા એક મોટા વિવાદનું કેન્દ્ર બની છે. આ મામલે રાજ્યના કેબિનેટ પ્રધાન અને ધારાસભ્ય નરેશ પટેલ પર આશ્રમ શાળા બંધ કરાવવાની ધમકી આપ્યાનો ગંભીર આરોપ લાગ્યો છે. ગૌરી આશ્રમ શાળાના પૂર્વ અધિકારી ઉર્મિલા ગરાસિયાનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તેમણે આ દાવાઓ કર્યા છે.
વાયરલ થયેલા વિડિયોમાં ઉર્મિલા ગરાસિયાએ જણાવ્યું છે કે પ્રધાને આશ્રમ શાળામાં વિવિધ પ્રશ્નો ઉભા કરીને વિવાદ સર્જ્યો છે, જેના કારણે શાળાના સંચાલકો પરેશાન છે. તેમણે આરોપ લગાવ્યો છે કે આદિજાતિ મંત્રી હોવા છતાં, બાળકોના પ્રશ્નો સમજ્યા વિના અને મદદ કર્યા વિના, તેમને આશ્રમ શાળા બંધ કરવાની ધમકી આપવામાં આવી છે. આ અંગે તેમણે મુખ્યપ્રધાનને યોગ્ય પગલાં લઈ ઘટતી કાર્યવાહી કરવા માટે નમ્ર વિનંતી કરી છે.
આ કથિત ધમકીના આક્ષેપ બાદ સોશિયલ મીડિયામાં ભારે ખળભળાટ મચી ગયો છે. વિડિયો વાયરલ થયા બાદ કેબિનેટ પ્રધાને આશ્રમ શાળાની મુલાકાત લીધી હોવાનું પણ સામે આવ્યું છે. જોકે, TV9 ગુજરાતી આ વાયરલ વિડિયોની કોઈ પુષ્ટિ કરતું નથી. આ સમગ્ર મામલે ઝડપથી ન્યાય મળે તેવી માગણી ઉઠી છે.
ભાવનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના વિલંબથી રોષ, જુઓ Video
