નર્મદા : આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને ભરૂચ લોકસભા સીટના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવવાની મુશ્કેલીઓ વધી છે. સેસન્સ કોર્ટે ચૈતર વસાવાની જામીન અરજીમાં નર્મદા જિલ્લામાં પ્રવેશબંધીની શરત મૂકી છે.
આ શરત હટાવવા સ્થાનિક કોર્ટ ઇન્કાર કરતા હવે ચૈતર વસાવા હાઇકોર્ટના દરવાજા ખટખટાવવા તૈયારી કરી રહ્યા છે.
આમ આદમી પાર્ટીના ઉમેદવારે તેમના મતક્ષેત્રના હજારો મતદારો સુધી પહોંચવા સમર્થકોનો સહારો લેવો પડશે. નર્મદા જિલ્લામાં પ્રચાર માટે જવા માટે કોર્ટની મંજૂરી જરૂરી છે ત્યારે શરત રદ કરવા ચૈતર હાઇકોર્ટ સુધી પહોંચવા અને રાહત મેળવવા તૈયારી કરી રહ્યા છે.
Input Credit : Vishal Pathak, Narmada