Rajkot Accident : જેતપુરના (Jetpur) નકલંગ આશ્રમ રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પુર ઝડપે આવતી કારે 2 બાઇકને અડફેટે લેતા બાઈક સવારને ગંભીર ઈજા પહોંચી હતી.એટલું જ નહીં બાઇકને અડફેટે લેતા બંને બાઈક ખેતરમાં ફંગોળાઈ હતી. સાથે જ રોડ પર સાઈડ પર બેઠેલા લોકોને પણ આ બેકાબુ કારે અડફેટે લીધા હતા. ઇજાગ્રસ્તોને હાલ જેતપુર સિવિલ હોસ્પિટલ (Jetpur Civil Hospital) સારવાર અર્થ ખસેડવામાં આવ્યા છે.
બે દિવસ પહેલા મહિસાગર (Mahisagar) જિલ્લાના લુણાવાડામાં ચાર કોસીયા નાકા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રકે બાઈક પર સવાર ચાર લોકોને કચડયા હતા, જેમાં એક પુરુષ-મહિલા અને બે બાળકોના મૃત્યુ થયા હતા. એક જ પરિવારના પતિ પત્ની અને બે બાળકોના મોત થતા પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી હતી. ઘટનાની જાણ થતા જ લુણાવાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. કાળમુખા ટ્રકે ચાર લોકોનો ભોગ લેતા લોકોમાં પારાવાર રોષ જોવા મળ્યો હતો.
અમદાવાદ શહેરમાં બેકાબૂ કારે ટુ-વ્હીલરને અડફેટે લેતા એક દંપત્તિનું મોત થયું હતું. મળતી માહિતી અનુસાર, શહેરના સોલા ભાગવત પુલ પર ભયાનક અકસ્માત સર્જાયો હતો. પુલ પર બેકાબુ કારે ટુ વ્હિલરને અડફેટે લેતા દંપત્તિ પુલ પરથી નીચે પટકાયા હતા જેને કારણે બંનેનુ ઘટનાસ્થળે જ મોત થયુ હતુ.જો કે અકસ્માત બાદ કાર ચાલક કાર મુકી ફરાર થઇ ગયો હતો.