Rajkot : ‘કોંગ્રેસને તોડવાનું કામ કરે છે BJP’, વધુ 6 ધારાસભ્ય કોંગ્રેસ છોડી ભાજપની ફિરાકમાં હોવાની ચર્ચા મુદ્દે સૌરાષ્ટ્ર પ્રભારી આકરા પાણીએ

|

Aug 09, 2022 | 2:04 PM

અનેક નેતાઓએ (Congress leader) હાથનો સાથ છોડી ભાજપમાં સામેલ થયા છે. હાલમાં પણ એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે કોંગ્રેસના 6 ધારાસભ્યો કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થઈ શકે છે.

છેલ્લા અમુક મહિનાઓમાં કોંગ્રેસના અનેક નેતાઓએ (Congress leader) હાથનો સાથ છોડી ભાજપમાં સામેલ થયા છે. હાલમાં પણ એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે કોંગ્રેસના 6 ધારાસભ્ય કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થઈ શકે છે. ત્યારે કોંગ્રેસની આ સ્થિતિ અંગે જ્યારે કોંગ્રેસના સૌરાષ્ટ્રના (saurashtra) પ્રભારી રામકિશન ઓઝાને (Ramkishan Oza)પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, ભાજપ કોંગ્રેસને તોડવાનું કામ કરે છે. તેમણે કહ્યું કોઈને પાર્ટીમાં અન્યાય થયો હોય તો સમજાવાનો પ્રયાસ કરીશું પણ જો કોઈ લોભ – લાલચ કે દબાણમાં જતા હશે તેને સમજાવાનો કોઈ મતલબ નથી.

કોંગ્રેસની સ્થિતિ એક સાંધે ત્યાં તેર તુટે જેવી સ્થિતિ

ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly election) હવે ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ સાથે AAP એ પણ તૈયારી શરૂ કરી છે. એક તરફ PM મોદી અને અમિત શાહ જેવા ભાજપના (Gujarat BJP) દિગ્ગજ નેતાઓના ગુજરાત પ્રવાસ પણ વધી ગયા છે. તો AAP એ તો નવો ચિલો ચીતરીને ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર ચૂંટણીના (Gujarat election) ત્રણથી ચાર મહિના અગાઉ જ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પરંતુ કોંગ્રેસની સ્થિતિ એક સાંધે ત્યાં તેર તુટે જેવી જોવા મળી રહી છે, કારણ કે ચૂંટણી પહેલા વધુ એક વાર પાર્ટીમાં (Congress Party) ભંગાણના એંધાણ વર્તાય રહ્યા છે.

કોંગ્રસના અગ્ર હરોળના બે નેતા ભાજપમાં જોડાશે

કોંગ્રસના અગ્ર હરોળના નેતા અને પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી નરેશ રાવલે (naresh raval) અને પૂર્વ સાંસદ રાજુ પરમારે હાથનો સાથે છોડી 17 ઓગસ્ટે ભાજપમાં જોડાશે. મહત્વનું છે કે, આ બંને નેતાઓ ગઈકાલે PM મોદીને મળ્યા હતા.

Next Video