ગુજરાતમાં ભાજપ નેતા અલ્પેશ ઠાકોર રવિવારે કરશે શકિત પ્રદર્શન

|

Dec 26, 2021 | 3:36 PM

ગુજરાતમાં(Gujarat)  આગામી વર્ષે યોજાનારી વિધાનસભા(Assembly)  ચુંટણીને લઇને ભાજપ(BJP) અને કોંગ્રેસ(Congress)  બંને પક્ષો સક્રિય બન્યા છે. જેમાં કોંગ્રેસે પ્રદેશ પ્રમુખ તરીકે ઓબીસી નેતા જગદીશ ઠાકોરની પસંદગી કરી છે. જેના પગલે ભાજપને હવે ઠાકોર વોટ બેંકને લઇને ચિંતા વધી છે. જેના પગલે ભાજપ નેતા અલ્પેશ ઠાકોર(Alpesh Thakor)  રવિવારે શક્તિ પ્રદર્શન કરશે. જેમાં અલ્પેશ ઠાકોર મરતોલીથી બહુચરાજી ધામ […]

ગુજરાતમાં(Gujarat)  આગામી વર્ષે યોજાનારી વિધાનસભા(Assembly)  ચુંટણીને લઇને ભાજપ(BJP) અને કોંગ્રેસ(Congress)  બંને પક્ષો સક્રિય બન્યા છે. જેમાં કોંગ્રેસે પ્રદેશ પ્રમુખ તરીકે ઓબીસી નેતા જગદીશ ઠાકોરની પસંદગી કરી છે. જેના પગલે ભાજપને હવે ઠાકોર વોટ બેંકને લઇને ચિંતા વધી છે. જેના પગલે ભાજપ નેતા અલ્પેશ ઠાકોર(Alpesh Thakor)  રવિવારે શક્તિ પ્રદર્શન કરશે. જેમાં અલ્પેશ ઠાકોર મરતોલીથી બહુચરાજી ધામ સુધી પદયાત્રા કરશે.

આ ચૂંટણી પહેલા ઠાકોર સમાજને એક મંચ પર લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. આ પદયાત્રા ઠાકોર સેના અને ઓએસએસ મંચના સહયોગથી કરવામાં આવશે. જેના પગલે ટીવી નાઈનની ટીમે અલ્પેશ ઠાકોર સાથે ખાસ વાતચીત કરી હતી.

અલ્પેશ ઠાકોરએ કહ્યું કે પદયાત્રા કરવીએ મારો સ્વભાવ છે. મે ગત મહિને પણ બનાસકાંઠામાં પદયાત્રા કરી હતી. તારીખ નક્કી હતી અને બહુચરાજીથી થવાની હતી. આ નવી જાહેરાત નથી. આ સમાજની એકતા માટે વ્યવસન મુકિત માટેની યાત્રા છે. આ પદયાત્રા તમામ લોકોને ખુલ્લુ આમંત્રણ છે. તેમજ સમાજના સંગઠનને મજબૂત કરવા માટેની યાત્રા છે.

અલ્પેશ ઠાકોરે કહ્યું કે તેવો મરતોલીથી બહુચરાજી ધામ સુધી પદયાત્રા કરશે. જેમાં અનેક સમાજના લોકો જોડાશે. આ પદયાત્રા સમાજના હિત માટે છે અને એક વિચારધારાને લઇને ચાલે છે. તેમજ સમાજ વ્યસનમુકિત અભિયાન કેવી રીતે જોડાઈ શકે તે માટેનો પ્રયાસ છે.

આ પણ વાંચો : Kutch: જામનગરમાં 700 બેડની હોસ્પિટલને અપાશે ગુરુ ગોવિંદ સિંહ નામ, ગુરુપર્વ સમારોહ પર વડાપ્રધાન મોદીએ કરી જાહેરાત

આ પણ વાંચો : Ahmedabad : કોરોનાના કેસો વધતાં લોકોની ટેસ્ટિંગ ડોમ પર તપાસ માટે ભીડ 

Published On - 2:07 pm, Sat, 25 December 21

Next Video