ભાજપ પક્ષ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હસ્તક્ષેપ નથી કરતો : નીતિન પટેલ

|

Dec 19, 2021 | 2:22 PM

રાજ્યના  પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે ભાજપ સરકાર તો વધુમાં વધુ ગ્રામ પંચાયતો સમરસ બને તેવા પ્રયાસો કરે છે. જેના લીધે ગ્રામીણ વિકાસ માટે વધુમાં વધુ ફંડ ગામને મળે તેમજ સુવિધામાં પણ વધારો થાય.

ગુજરાતમાં(Gujarat) આજે યોજાઇ રહેલી ગ્રામ પંચાયત ચૂંટણીને(Gram Panchyat Election)  લઇને રાજ્યના  પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે(Nitin Patel)  મહેસાણા(Mehsana)  ખાતે  નિવેદન આપ્યું હતું કે ગ્રામપંચાયત અને વિધાનસભા ચૂંટણીને સરખાવી જોઈએ નહીં. કારણ કે ભાજપ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરતી નથી. આ ઉપરાંત ભાજપ પક્ષ દ્વારા ઉમેદવારોને કોઈ મેન્ડેડ પણ અપાતો નથી.

તેમજ ભાજપ સરકાર તો વધુમાં વધુ ગ્રામ પંચાયતો સમરસ બને તેવા પ્રયાસો કરે છે. જેના લીધે ગ્રામીણ વિકાસ માટે વધુમાં વધુ ફંડ ગામને મળે તેમજ સુવિધામાં પણ વધારો થાય.

ઉલ્લેખનીયછે કે, ગુજરાતમાં(Gujarat)આજે યોજાઇ રહેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં(Gram Panchyat Election)બપોરે 12 વાગે સુધીમાં સરેરાશ 22 ટકા જેટલું મતદાન(Voter turn Out)નોંધાયું છે. જેમાં મતદાનની ટકાવારી પર નજર કરીએ તો સૌરાષ્ટ્ર કચ્છમાં 25 ટકા, મધ્ય ગુજરાતમાં 23 ટકા, દક્ષિણ ગુજરાતમાં 19 ટકા, જયારે ઉત્તર ગુજરાતમાં સરેરાશ 21 ટકા જેટલું મતદાન નોંધાયું હતું.

ગ્રામ પંચાયતની ચૂંટણીના ચિત્ર પર નજર કરીએ તો, 23 હજાર 97 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાંથી 6 હજાર 656 મતદાન મથકો સંવેદશીલ છે, તો 3 હજાર 74 મતદાન મથકો અતિ સંવેદનશીલ છે. તો કુલ 10 હજાર 812 ગ્રામ પંચાયતમાંથી 1 હજાર 167 ગ્રામ પંચાયતો બીનહરિફ થઈ છે. જ્યારે 9 હજાર 669 સભ્ય બીનહરીફ ચૂંટાયા છે. તો 6 હજાર 446 ગ્રામ પંચાયતો અંશતઃ બિનહરીફ છે. જેમાંથી કુલ 4 હજાર 511 સરપંચ અને 26 હજાર 254 સભ્ય બિનહરીફ થયા છે.

આ પણ વાંચો : Chhota Udepur : જામલી ગામે વિધાનસભા વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ મતદાન કર્યું

આ પણ વાંચો : Banaskantha: ધાનેરાના MLA નાથા પટેલે કર્યું મતદાન, EVM અને બેલેટ પેપરને લઈને આપ્યું આ નિવેદન

 

Published On - 2:17 pm, Sun, 19 December 21

Next Video