ભવનાથના મેળામાં મૃગી કુંડમાં કીર્તિ પટેલના ડૂબકી લગાવવાથી વિવાદ છેડાયો છે. ત્યારે આ મામલે સરખેજ સ્થિત ભારતી આશ્રમના મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુએ આ મામલે પ્રતિક્રિયા આપી છે.
જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાના અંતિમ દિવસે કીર્તિ પટેલે મૃગી કુંડમાં સ્નાન કરતા વિવાદનો વંટોળ સર્જાયો છે. ત્યારે હવે સરખેજ સ્થિત ભારતી આશ્રમના મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુએ આ મામલે પ્રતિક્રિયા આપી છે. ઋષિ ભારતી બાપુએ જણાવ્યું કે મૃગી કુંડમાં કોણ સ્નાન કરી શકે તે બાબતે કોઇ ચોક્કસ નિયમ કે બંધારણ નથી.
ઋષિ ભારતી બાપુએ કહ્યું કે ઘણી વખત સ્નાન સમયે સંતો સાથે સેવકો હોય તો તેઓ પણ સ્નાન માટે જોડાતા હોય છે.આથી ભવિષ્યમાં આ પ્રકારનો કોઇ વિવાદ ન થાય એ માટે તમામ સંતોએ એકત્રિત થવું જોઇએઅને સરકાર સાથે સંકલન સાધી મૃગી કુંડમાં સ્નાન બાબતે ચોક્કસ બંધારણ ઘડવું જોઇએ તેવી માગ તેમણે કરી.
Published On - 9:16 pm, Tue, 17 February 26