Bhavnagar : મહુવા માર્કેટ યાર્ડમાં ડુંગળીના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોમાં આક્રોશ

ભાવ નગર માર્કેટમાં ડુંગળીની આવક વધતા ભાવ ઓછો  કરી દેવામાં આવ્યાં છે.ત્યારે એક મણના 200થી પણ ઓછા ભાવ મળી રહ્યાં છે..વેપારીઓને ફાયદો કરાવવા માટે ડુંગળીના ભાવ ઘટાડ્યાં હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યાં છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 26, 2022 | 9:50 PM

ભાવનગરના (Bhavnagar) મહુવા માર્કેટ યાર્ડમાં  ડુંગળીના(Onion)  યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો(Farmers)  રોષે ભરાયા છે. જેમાં રોષે ભરાયેલા ખેડૂતોએ માર્કેટમાં સફેદ ડુંગળીની હરાજી બંધ કરાવી વિરોધ નોંધાવ્યો..ખેડૂતોએ હરાજી બંધ કરાવી માર્કેટના રસ્તા વચ્ચે ચક્કાજામ કરી રોષ ઠાલવ્યો હતો.ખેડૂતોનો આક્ષેપ છે કે પહેલા માર્કેટમાં ડુંગળીની આવક ઓછી હતી ત્યારે એક મણના 270 ભાવ મળતા હતા.પરંતુ હવે માર્કેટમાં ડુંગળીની આવક વધતા ભાવ ઓછો  કરી દેવામાં આવ્યાં છે.ત્યારે એક મણના 200થી પણ ઓછા ભાવ મળી રહ્યાં છે..વેપારીઓને ફાયદો કરાવવા માટે ડુંગળીના ભાવ ઘટાડ્યાં હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યાં છે..સાથે જ જ્યાં સુધી ડુંગળીના યોગ્ય ભાવ નહીં મળે ત્યાં સુધી ખેડૂતોએ હરાજી બંધ રાખવાની ચીમકી ઉચ્ચારી છે.

ભાવનગર જિલ્લો ગુજરાતમાં ડુંગળીનું કુલ 67 ટકા ઉત્પાદન કરે છે

ઉલ્લેખનીય છે કે, ભાવનગર જિલ્લો ગુજરાતમાં ડુંગળીનું કુલ 67 ટકા ઉત્પાદન કરે છે ત્યારે આ વર્ષે પણ ભાવનગર જિલ્લામાં ડુંગળીનું મબલખ ઉત્પાદન થવા પામેલ છે. જો કે આ વર્ષે ખેડૂતો એ મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હોવા છતાં વીઘા દીઠ ડુંગળીનો ઉતારા ઓછા આવ્યો છે. આમ છતાં ભાવનગર માર્કેટિંગ યાર્ડ અને મહુવાના માર્કેટિંગ યાર્ડ માં મબલખ ડુંગળી ની આવક થઈ રહી છે. પરંતુ કરુણતાની વાત એ છે કે ડુંગળીના ભાવ સાવ તળિયે જતા ભાવનગર જિલ્લાનો ડુંગળી પકવતો ખેડૂત સાવ પાયમાલ થઈ જવા પામેલ છે અને સરકારને અપીલ કરી રહ્યો છે કે કમસે કમ ડુંગળી ના પડતર ભાવ મળી રહે તેવુ સરકાર કઈ કરે.

ભાવનગર જિલ્લામાં ડુંગળીનું વાવેતર સારું થયુ હતું અને છેલ્લે પાછોતરો ભારે વરસાદ, માવઠું અને ડુંગળી ના પાકમાં રોગ આવ્યો હોવા છતાં ખેડૂતોને ઉતારા ઓછા આવ્યા છે વીઘા એ, પરંતુ સમગ્ર જિલ્લામાં વધારે પડતા વાવેતર  કારણે ખુબજ મોટા પ્રમાણ માં ઉત્પાદન થવા પામેલ છે.

આ પણ વાંચો : કચ્છ : પોલીસની નિષ્ફળતા વચ્ચે હવે મંદિર ચોરોને ઝડપવા ફોટો પ્રસિધ્ધ કરી 51,000 ઇનામની જાહેરાત !

આ પણ વાંચો : JAMNAGAR : કોંગ્રેસમાં ફરી એકવાર ભંગાણ, જિલ્લા કોંગ્રેસના મહામંત્રી કે.બી.બથવારનું રાજીનામુ

Follow Us:
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">