અમદાવાદના ધંધુકામાં ક્ષત્રિય સમાજનું ‘અસ્મિતા મહાસંમેલન’ યોજાયુ. જેમાં કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા પણ હાજર રહ્યા હતા.આ સંમેલનમાં પરશોત્તમ રુપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલા નિવેદનને લઇને રોષ યથાવત જોવા મળ્યો હતો.
ધંધુકામાં યોજાયેલા ક્ષત્રિય સમાજના સંમેલનમાં કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાએ પોતાને ભાજપના મતદાર ગણાવી કહ્યુ કે, જો ભાજપ રૂપાલાની ટિકિટ નહીં કાપે તો ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભાજપને નુકસાન થશે. ભાજપને જવાબ આપવા રાજપૂતો ભવિષ્યમાં રાજનીતિક પાર્ટી બનાવશે. તેમણે જણાવ્યુ હતુ કે ક્ષત્રિયોની અસ્મિતાના ભોગે કંઇ પણ ચલાવી ન લેવાય. પદ્માવત ફિલ્મ વખતે અમે સંજય લીલા ભણસાલી સામે પણ ક્ષત્રિયોના સન્માનને લઇને લડત આપી ચુક્યા છીએ.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 9:36 am, Mon, 8 April 24