Video : કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ

|

Apr 27, 2024 | 5:16 PM

લોકસભા ચૂંટણી યોજાય તે પહેલા રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે પોરબંદરની મુલાકાત લીધી હતી. અહીં, તેમણે ભાજપ ઉમેદવાર મનસુખ માંડવિયાની પ્રચાર માટે આયોજિત યુવા સંમેલનમાં હાજરી આપી અને આ દરમિયાન તેમણે રેલવે માટે મોટી જાહેરાત કરી હતી.

કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ હાલ ગુજરાતના પોરબંદરના પ્રવાસે છે ત્યારે પોરબંદમાં તેમણે મોટી જાહેરાત કરી છે. અશ્વિની વૈષ્ણવ અહીં કહ્યું હતુ કે પોરબંદરમાં વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન બનશે. લોકસભાની ચૂંટણી પહેલા અશ્વિની વૈષ્ણવ ગુજરાતના પ્રવાસે છે ત્યારે પોરબંદરમાં તેમણે મોટી જાહેરાત કરી હતી . અશ્વિની વૈષ્ણવ આ દરમિયાન મનસુખ માંડવિયાના પ્રચાર માટે આયોજીત સમ્મેલનમાં ભાગ લેવા માટે પહોચ્યાં હતા. આ દરમિયાન તેમણે પોરબંદરમાં વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન બનાવવાની જાહેરાત કરી હતી.

લોકસભા ચૂંટણી યોજાય તે પહેલા રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે પોરબંદરની મુલાકાત લીધી હતી. અહીં, તેમણે ભાજપ ઉમેદવાર મનસુખ માંડવિયાની પ્રચાર માટે આયોજિત યુવા સંમેલનમાં હાજરી આપી અને આ દરમિયાન તેમણે રેલવે માટે મોટી જાહેરાત કરી હતી.

અશ્વિની વૈષ્ણવે પોરબંદર રેલવે મથકને વર્લ્ડ ક્લાસ બનાવવાની કામગીરી તેજીથી ચાલે છે સાથે, તેમણે યુવાઓ સાથે વાતચીત બાદ અપીલ પણ કરી કે, ફર્સ્ટ ટાઇમ વોટર્સ રેલવે મથકના આસપાસની જમીન અંગે સ્ટડી કરે અને માર્ગદર્શન આપે, જેથી રેલવે મથકનો વર્લ્ડ ક્લાસ વિકાસ કરી શકાય. આ સાથે, વિકાસના કામો વધુ સારી રીતે કરી શકાય.

મહત્વનું છે, અશ્વિની વૈષ્ણને યુવા સંમેલનમાં, યુવાનોને માર્ગદર્શન પણ પૂરૂં પાડ્યું હતુ કે કઇ રીતે યુવાનો પોરબંદરના વિકાસમાં મદદ કરી શકે છે.

Input Credit- Hitesh Thakrar- Porbandar

Next Video