Mehsana : બિપરજોય વાવાઝોડા દરમિયાન ગેરહાજર રહેલ તલાટીઓએ DDOની કારણદર્શક નોટિસનો જવાબ ન આપતાં DDOએ TDO પાસે માંગ્યો ખુલાસો, જુઓ Video

મહેસાણા જિલ્લા વિકાસ અધિકારીએ બિપરજોય વાવાઝોડા દરમિયાન ગેરહાજર રહેલા તલાટીઓને આપેલી નોટિસના 25 દિવસ બાદ પણ 28માંથી 22 તલાટીઓએ ખુલાસો ન આપતાં હવે TDOને નોટિસ આપવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2023 | 1:57 PM

Mehsana : બિપરજોય વાવાઝોડા (cyclone biparjoy) દરમિયાન તલાટીઓને પોતાના વિસ્તારમાં હાજર રહેવા આદેશ કરાયો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે જિલ્લાના 28 તલાટીઓ પોતાના વિસ્તારમાં હાજર ન હોતા. જેને લઈને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ગેરહાજર રહેલા તલાટીઓને DDOએ નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો હતો.

આ પણ વાંચો Mehsana : વિભાગીય નાયબ નિયામક ડો. સતિષ મકવાણાએ વિજાપુર મેડિકલ કેમ્પની મુલાકાત લીધી

જિલ્લા વિકાસ અધિકારીએ આપેલી નોટિસના 25 દિવસ બાદ પણ 28માંથી 22 તલાટીઓએ ખુલાસો ન આપતાં હવે TDOને નોટિસ આપવામાં આવી છે. મહેસાણામાં તલાટીઓ DDOની નોટિસોને ઘોળીને પી જતાં હવે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા 7 TDOને નોટિસ આપી ખુલાસો માંગવામાં આવ્યો છે.

મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">