Mehsana : બિપરજોય વાવાઝોડા દરમિયાન ગેરહાજર રહેલ તલાટીઓએ DDOની કારણદર્શક નોટિસનો જવાબ ન આપતાં DDOએ TDO પાસે માંગ્યો ખુલાસો, જુઓ Video
મહેસાણા જિલ્લા વિકાસ અધિકારીએ બિપરજોય વાવાઝોડા દરમિયાન ગેરહાજર રહેલા તલાટીઓને આપેલી નોટિસના 25 દિવસ બાદ પણ 28માંથી 22 તલાટીઓએ ખુલાસો ન આપતાં હવે TDOને નોટિસ આપવામાં આવી છે.
Mehsana : બિપરજોય વાવાઝોડા (cyclone biparjoy) દરમિયાન તલાટીઓને પોતાના વિસ્તારમાં હાજર રહેવા આદેશ કરાયો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે જિલ્લાના 28 તલાટીઓ પોતાના વિસ્તારમાં હાજર ન હોતા. જેને લઈને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ગેરહાજર રહેલા તલાટીઓને DDOએ નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો હતો.
આ પણ વાંચો Mehsana : વિભાગીય નાયબ નિયામક ડો. સતિષ મકવાણાએ વિજાપુર મેડિકલ કેમ્પની મુલાકાત લીધી
જિલ્લા વિકાસ અધિકારીએ આપેલી નોટિસના 25 દિવસ બાદ પણ 28માંથી 22 તલાટીઓએ ખુલાસો ન આપતાં હવે TDOને નોટિસ આપવામાં આવી છે. મહેસાણામાં તલાટીઓ DDOની નોટિસોને ઘોળીને પી જતાં હવે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા 7 TDOને નોટિસ આપી ખુલાસો માંગવામાં આવ્યો છે.
મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
દારૂબંધીને કારણે ગુજરાતને 'મોટું આર્થિક નુકસાન' - જુઓ Video
જુનાગઢના શહેરીજનો માટે માથાના દુખાવા સમાન બન્યા 7 રેલવે ફાટકો
કચ્છમાં મુસ્લિમ વિદ્યાર્થીએ હિન્દુ વિદ્યાર્થીઓ પાસે પઢાવી નમાજ
અફઘાનિસ્તાને પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં કર્યો હવાઈ હુમલો
