લગ્ન પહેલા આશીર્વાદ લેવા ધીરુભાઈના જન્મ સ્થાને પહોંચ્યા અનંત અંબાણી, કહ્યું અહીંથી 10 ધીરુભાઈ બહાર આવવા જોઈએ, જુઓ Video

|

Mar 13, 2024 | 4:50 PM

અનંત અંબાણી રાધિકા સાથે લગ્ન પહેલાંની વિધિ માટે ધીરુભાઈ અંબાણીના જન્મસ્થળ ચોરવાડ પહોંચ્યા રાધિકા પણ તેમની સાથે હાજર હતા. આ દરમ્યાન ગામના લોકો સાથે તેમણે વાતચીત કરી હતી. જેમાં તેમણે કહ્યું કે, અહીં થી 10 ધીરુભાઈ બહાર નીકળવા જોઈએ. 

અનંતે કહ્યું- દાદાના ગામમાંથી તેમના જેવા 10 લોકો બહાર નીકળવા જોઈએ. આ પ્રસંગે અનંત અંબાણીએ લોકોને કહ્યું, ‘હું તમારા આશીર્વાદ લેવા આવ્યો છું, આ મારા દાદાનું ગામ છે. તમે બધા મને અને રાધિકા અને મારા સમગ્ર પરિવારને આશીર્વાદ આપો. ચોરવાડ મારા દાદાની જન્મભૂમિ છે. રિલાયન્સમાં બધું અહીંથી આવ્યું છે.

અનંતે કહ્યું કે મારા મનમાં એક વિચાર છે, જેમ ધીરુભાઈ આંગણામાંથી ઉભા થયા. એ જ રીતે આ ગામમાંથી 10 ધીરુભાઈ ઊભા થાય. અહીંના બાળકોમાં હિંમત હોવી જોઈએ અને આગળ વધવું જોઈએ. આગામી 10 વર્ષમાં અહીંથી 10 ધીરુભાઈ બહાર આવી શકે છે. આ શક્તિ આ ગામમાં છે.

અગાઉ, અનંત-રાધિકાની પ્રી-વેડિંગ સેરેમની 1 થી 3 માર્ચ દરમિયાન ગુજરાતના જામનગરમાં યોજાઈ હતી. આ સમારોહમાં આંતરરાષ્ટ્રીય ગાયકો રીહાના અને એકોને પર્ફોર્મન્સ આપ્યું હતું. બિલ ગેટ્સ, માર્ક ઝકરબર્ગ, ઇવાન્કા ટ્રમ્પ જેવા આંતરરાષ્ટ્રીય મહેમાનો હાજરી આપી હતી.

Next Video