AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: અલ્પેશ કથીરીયાએ ભાજપમાં જોડાવા મુદ્દે કરી સ્પષ્ટતા, કહ્યું 'ભાજપમાં જોડાવવાની વાત માત્ર અફવા'

Surat: અલ્પેશ કથીરીયાએ ભાજપમાં જોડાવા મુદ્દે કરી સ્પષ્ટતા, કહ્યું ‘ભાજપમાં જોડાવવાની વાત માત્ર અફવા’

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2022 | 5:01 PM
Share

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) પૂર્વે રાજ્યમાં જોડતોડનું રાજકારણ ચરમસીમા પર છે. જેમાં પણ હાલ વિધાનસભા ચૂંટણી પૂર્વે મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની (Gujarat Assembly Election) તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. તે પહેલા વિવિધ રાજકીય પક્ષોમાં આગેવાનોના જોડાવાના સમાચાર આવતા રહે છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) પૂર્વે રાજ્યમાં જોડતોડનું રાજકારણ ચરમસીમા પર છે. જેમાં પણ હાલ વિધાનસભા ચૂંટણી પૂર્વે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં પાસના કન્વીનર અલ્પેશ કથીરિયા (Alpesh kathiriya) ભાજપમાં (BJP) જોડાય તેવી અટકળો તેજ થઈ હતી. જો કે કથીરીયાએ ભાજપમાં જોડાવવા અંગે સ્પષ્ટ ઈનકાર કર્યો છે. તેમણે પોતાના ભાજપમાં જોડાવવાની વાતને માત્ર અફવા ગણાવી છે.

અલ્પેશ કથીરિયાની સ્પષ્ટતા

PASS કન્વીનર અલ્પેશ કથીરીયાએ ભાજપમાં જોડાવવાના મુદ્દે સ્પષ્ટતા કરી છે. કથીરીયાએ કહ્યું કે ભાજપમાં જોડાવવાની વાત માત્ર અફવા છે, તેમાં કોઈ તથ્ય નથી, સરકાર પહેલા પાટીદારો પરના કેસ પરત ખેંચે પછી કોઈ નિર્ણય લેશું, પાટીદાર આંદોલનમાં શહીદ થયેલા લોકોના પરિજનોને સરકાર નોકરી આપે તેવી માગ છે. આ અંગે ખોડલધામ આવી રહેલા PM મોદીને સમાજના આગેવાનો રજૂઆત કરશે અને PM સાથેની મિટિંગ બાદ આગેવાનો કહેશે તે પ્રમાણે નિર્ણય લેશું.”

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજ્યના પાટીદાર આંદોલનના ચહેરા રહેલા હાર્દિક પટેલ કોંગ્રસનો સાથ છોડીને ભાજપમાં જોડાયા છે. જેમાં ભાજપને ગત વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર આંદોલનની અસરના લીધે બેઠકોમાં ઘટાડો નોંધાયો હતો. જેના પગલે ભાજપે આ વર્ષે પાટીદાર વોટબેંકને અંકે કરવા માટે પ્રયાસો હાથ ધર્યા છે. જેના પગલે સુરતના પાટીદારોને રીઝવવા માટે અલ્પેશ કથીરિયાને ભાજપમાં સામેલ કરવામાં આવશે તેવી ચર્ચાએ જોર પકડયું હતુ.

g clip-path="url(#clip0_868_265)">