Ahmedabad: રિવરફ્રન્ટ ખાતે રાતોરાત એક મઝાર બનાવી દેવાઈ હોવાનો વીડિયો વાયરલ, જાણો… શું છે હકિકત

|

Jul 03, 2022 | 12:00 PM

TV9 દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવી અને એએમસીના અધિકારીઓને આ બાબતે સવાલ કરાયો. તો એએમસીએ આ મજાર બાબતે તપાસના આદેશ આપ્યા છે.

શું અમદાવાદ (Ahmedabad) માં રિવરફ્રન્ટ (riverfront) ખાતે રાતોરાત એક મઝાર (mazar) બનાવી દેવાઈ છે? સોશિયલ મીડિયામાં વાયરલ એક વીડિયોમાં આ દાવો થઈ રહ્યો છે. જે વીડિયોએ સૌ કોઈના મનમાં અનેક સવાલો ઉભા કર્યા છે. આ વીડિયોએ AMCની ઊંઘ બગાડી રાખી છે. લોકો સવાલ કરી રહ્યા છે, પરંતુ હકીકત શું છે ?  ચાલો જાણીએ કે હકિકત શું છે. અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે દધીચિ બ્રિજ પાસે રાતોરાત મઝાર બનાવવામાં આવી હોવાનો દાવો કરતો એક વીડિયો આજકાલ ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દધીચિ બ્રિજ જોવા મળે છે જેની બાજુમાં જ ખૂણામાં મઝાર બનેલી છે. જે રાતોરાત બની હોવાનો દાવો થઈ રહ્યો છે ત્યારે વીડિયોએ શહેરીજનોમાં અનેક કુતૂહલ પણ જગાવ્યું છે.

વાયરલ વીડિયોમાં સવાલો પણ ઉઠાવાયા છે કે એએમસી આ બાબતે કોઈ ધ્યાન પણ આપી રહી નથી. જે વીડિયો આગની જેમ ફેલાતો જઈ રહ્યો છે. ત્યારે TV9 દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવી અને એએમસીના અધિકારીઓને આ બાબતે સવાલ કરાયો. તો એએમસીએ આ મઝાર બાબતે તપાસના આદેશ આપ્યા છે.

આ તરફ અમારી ટીમે દધીચિ બ્રિજ પાસે જઈને તપાસ કરી તો ત્યાં મઝાર જોવા મળી હતી. આ એ જ મજાર છે કે જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જે વીડિયો એએમસી માટે માથાનો દુખાવો સમાન બની ગયો છે. ત્યારે વાયરલ વીડિયોની હકીકત એ છે કે મઝાર રાતોરાત બની હોવાનો દાવો ખોટો છે.

મઝાર રાતોરાત બની હોવાનો દાવો ખોટો છે

  • વાયરલ વીડિયો બે વર્ષ અગાઉ પણ વાયરલ થયો હતો
  • જો રિવરફ્રન્ટ બનતા પહેલા મઝાર હતી તો તેની વ્યવસ્થા કેમ ન થઈ?
  • અને જો રિવરફ્રન્ટ બન્યા બાદ મઝાર બની તો એએમસીનું ધ્યાન કેમ ન ગયું?
  • રસ્તા પર રહેલા કોઈપણ ધાર્મિક સ્થળની નોંધ આખરે ક્યારે લેવાશે?
Next Video