Vadodara: વડોદરાના વિવિધ વિસ્તારોમાં હજુ પાણી, આદર્શનગરમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકો મુશ્કેલીમાં

|

Jul 19, 2022 | 4:40 PM

વડોદરાના (Vadodara) તરસાલીમાં કોર્પોરેશનની ઘોર બેદરકારીથી લોકોની વધી મુશ્કેલી. આદર્શનગરમાં વરસાદી પાણીનો (Rain Water) નિકાલ ન થતા રહીશો રોષે ભરાયા છે.

સોમવારે મોડી રાત્રે પડેલા ભારે વરસાદને (Rain) પગલે વડોદરાના (Vadodara) અનેક વિસ્તારો પાણી પાણી થયા છે. વડોદરાના વાઘોડીયા રોડ, આજવા રોડ સહિતના વિસ્તારોમાં આવેલી સોસાયટીઓમાં વરસાદી પાણી ઘુસ્યા છે. ખાસ કરીને વાઘોડીયા રોડ પર આવેલી રંગવાટિકા, સોનપુર અને સરદાર એસ્ટેટમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. તો વૃંદાવન ચાર રસ્તા, પ્રભાત રોડ, સૂર્ય નગર, પાણીગેટ, ઉમા ચાર રસ્તા વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા છે. તરસાલીમાં પણ આદર્શનગરમાં વરસાદી પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેના પગલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

આદર્શનગરમાં વરસાદી પાણીનો નિકાલ  ન થતા રોષ

વડોદરાના તરસાલીમાં કોર્પોરેશનની ઘોર બેદરકારીથી લોકોની વધી મુશ્કેલી. આદર્શનગરમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા રહીશો રોષે ભરાયા છે..એક અઠવાડિયાથી ગોઠણસમા ભરાયેલા પાણીથી લોકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે..બીજી તરફ વડોદરાના ધનિયાવી ગામ જવાના માર્ગ પર પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. આદર્શનગરમાં વરસાદી પાણી ભરાયેલા હોવાથી લોકોને મગરનો ભય રહે છે..છેલ્લા 4 વર્ષથી પાણી ભરાવવાની સમસ્યા સર્જાય છે છતાં કોર્પોરેશન તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

હેરણ નદીમાં ત્રીજી વખત પૂર આવ્યું

બીજી તરફ વડોદરાના ડભોઇમાં અવિરત વરસાદને પગલે હેરણ નદીમાં ત્રીજી વખત પૂર આવ્યું છે. જેના કારણે આશગોલ ગામ ફરી સંપર્કવિહોણું બન્યું. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે હેરણ નદીમાં પૂર આવ્યું. નદીના પાણી ડાયવર્ઝન રોડ પર ફરી વળતા સંપર્ક ખોરવાયો. હેરણ નદી આશગોલ ગામ વચ્ચેથી જ પસાર થાય છે જેના કારણે 600 જેટલા લોકોની સ્થિતિ કફોડી બની છે. ઉપરવાસમાં વરસાદને લઇને ડભોઇ તાલુકાના 10 જેટલા રસ્તાઓ બંધ થયા છે.

Next Video